અમદાવાદનાં પ્રખ્યાત બાલાજી ગ્રૂપના બિલ્ડર આશિષ શાહ હમેશાં વિવાદોથી ગ્રસ્ત રહ્યા છે. ભૂતકાળ માં પણ તેમની વિરુધ્ધ ફરિયાદ નોધાઈ ચૂકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બાલાજી અગોરા મોલના બિલ્ડર આશિષ શાહ દ્વારા વેપારી પાસેથી 4.41 કરોડનો માલની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ માલની ખરીદી કર્યા બાદ પેમેન્ટ કરવામાં ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા. અને પેમેન્ટ કર્યું ના હતું. જેને લઈને વેપારીએ ચાંદખેડા પોલીસ મથકે છેતરપિંડી ની ફરિયાદ નોધાવી છે.
આશિષ શાહે બાલાજી અગોરા મોલનું કન્સ્ટ્રક્શનનું કામ કરેલ છે. અને અગાઉ પણ તેમની વિરુધ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.