અમદાવાદ
અમદાવાદમાં ખાનગી શાળાઓ બિલાડીની ટોપની જેમ વધી રહી છે. ત્યારે બીજી બાજુ સરકારી શાળાઓની હાલત કથળી બની ગઇ છે. ત્યારે શિક્ષકોના અભાવે સરકારી શાળાને બંધ કરવાની ફરજ પડી રહી છે.
આ શાળાઓ બનાવવા માટે કરોડોના ખર્ચાઓ તો કરવામાં આવે છે. પણ આ કરોડો રૂપિયા ક્યાં જઇ રહ્યા છે તે કોઈને ખબર નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષની અંદર 93 જેટલી સરકારી શાળાઓને તાળા લાગ્યા છે. 5 વર્ષમાં 20 હજાર જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે.
આવા આંકડાઓ સ્પષ્ટ કરે છે માત્ર ગુણોત્સાવ અને પ્રવેશોત્સવના દેખાવો થાય છે અને સરકારી શાળાઓની પરિસ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે.