આજે કોલસાની ખાણમાં ફંસાયેલા મજૂરને બહાર કાઢવા માટેના સર્ચ ઓપરેશનનો ૧૮ મો દિવસ છે. ગઈ કાલે ઇન્ડીયન એરફોર્સ પણ મદદ કરવા માટે મેઘાલય પહોચી ગઈ હતી. એનડીઆરએફની ટીમ અને એરફોર્સની ટીમ સહિત બીજા બચાવકાર્યકર્તા પણ આ લોકોને બહાર નીકળવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.
સર્ચ ઓપરેશનના ૧૮માં દિવસે કોઈ મજૂર તો નહી પરંતુ ત્રણ હેલ્મેટ મળી આવ્યા છે.
એનડીઆરએફની ટીમે ગુરુવારે મીડિયા સામે ખંડન કર્યું હતું કે ખાણમાં ફંસાયેલા મજૂરોના મૃત્યુ થઇ ગયા હોય તેવી શંકા લાગી રહી છે કેમ કે એનડીઆરએફના જવાનો જયારે ખાણમાં ઉતર્યા હતા ત્યારે તેમણે અલગ દુર્ગંધ અનુભવી હતી.
૧૫ મજૂર ૩૭૦ ફૂટ ઊંડી કોલસાની ખાણમાં ફંસાયેલા છે. આ ખાણમાં પાણી ઘણે ઊંડે સુધી ભરેલું છે જે ખેંચવું ઘણું મુશ્કેલ છે.