અમદાવાદ/ સાણંદમાં સ્વામી સત્યમિત્રાનંદગિરિ મહારાજની પુણ્યતિથી ઉજવાઈ

પદ્મભૂષણ બ્રહ્મલીન સ્વામી સત્યમિત્રાનંદગિરિજી મહારાજની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાણંદ તાલુકાના પ્રભુવત્સલ 58 બાળકોને શૈક્ષણિક કીટ કરાયું

Gujarat Others
સાણંદ

ભારતમાતા મંદિર હરિદ્વારના સંસ્થાપક પદ્મભૂષણ બ્રહ્મલીન સ્વામી સત્યમિત્રાનંદગિરિજી મહારાજની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાણંદ તાલુકાના પ્રભુવત્સલ 58 બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં રામકૃષ્ણમઠ અમદાવાદનાં મહંત પ્રભુસેવાનંદજી મહારાજના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમ સાણંદ બી.આર.સી ભવન ખાતે ઉજવવામાં આવ્યો હતો જેમાં ભારતમાતા મંદિરના ટ્રસ્ટી હિંમતભાઈ પટેલ,માધવ સેવા માધ્યમ સંસ્થાના મંત્રી વિજયભાઈ શાહ,તેજસભાઈ અમીન તેમજ પ્રભુવત્સલ બાળકો અને પાલક માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્વામીજી એ  આ બાળકો પર પ્રભુ કૃપા વરસતી રહે તેવા આશીર્વચન આપ્યા અંતે સૌ પ્રભુ પ્રસાદ લઈ પ્રભુવત્સલ બાળકો છુટા પડ્યા હતા.

સાણંદ

આ પણ વાંચો : પટોળા નગરી પાટણ ઓઢશે લીલી ચૂંદડી : રોજના તૈયાર થાય છે 1200 સીડબોલ