ભાજપના સંસંદસભ્ય સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડીયાને અમદાવાદની ઝાઈડસમાં હોસ્પિટલના સ્પેશીયલ રૂમમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિઠ્ઠલ રાદડીયા પોરંબદરના સાંસદ છે અને સૌરાષ્ટ્રની જનતામાં જાણીતો ચહેરો છે. જો કે પ્રજાના પ્રતિનીધી એવા વિઠ્ઠલ રાદડીયાની લોકો ખબર જાણવા ઈચ્છતા હોય તે સ્વાભાવિક છે, જો કે હાલમાં તેમણી તબિયત વિશે મૌન સેવવામાં આવી રહ્યું છે.
હોસ્પીટલના અગ્રીમ ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે. તેમના રૂમને અઈસીસીયુંમાં ફેરવી દેવામાં આવ્યો છે. ત્યાં કોઈ પણ વ્યક્તિને તપાસ કર્યા વગર અંદર જવા દવામાં આવતા નથી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ વિઠ્ઠલ રાદડીયાની મુલાકાત લઈને તેમણે ખબર અંતર પૂછ્યા હતા.