ગાંધીનગર,
જયંતિ ભાનુશાળીની હત્યા મામલે ગાંધીનગરમાં CID ક્રાઈમના DGP આશિષ ભાટીયાએ નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, ભુજથી દાદર જતી ટ્રેનમાં ભાનુશાળીની લાશ મળી હતી.
સૌથી પ્રથમ માળીયા પોલીસને ખબર પડી હતી. CCTV ફૂટેજની મદદ લેવાશે. ટ્રેનનો ડબ્બો અલગ મૂકી દેવાયો છે. FSLની મદદ લેવાઈ રહી છે. ભાનુશાળીની બેગમાંથી તેમની રિવોલ્વર મળી છે.
ડબ્બામાંથી 2 ફૂટેલા અને 3 જીવતા કારતુસ મળ્યા છે. દેશી રિવોલ્વરથી ફાયરિંગ પ્રાથમિક તારણ બહાર આવ્યુ. કેટલા લોકો હત્યામાં સામેલ છે તે અત્યારે જાણી નથી શકાયું. CCTV ફૂટેજની મદદ લેવાશે.