airlines/ એર ઈન્ડિયાએ ફ્રી બેગેજની લિમિટ ઓછી કરી, વધારે સામાન લઈને જવું પડશે મોંઘુ

દેશની મોટાભાગની ખાનગી એરલાઈન્સ માત્ર 15 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી આપે છે. હવે એર ઈન્ડિયામાં પણ આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જોકે,…….

India Trending
Image 2024 05 05T131747.380 એર ઈન્ડિયાએ ફ્રી બેગેજની લિમિટ ઓછી કરી, વધારે સામાન લઈને જવું પડશે મોંઘુ

New Delhi : ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા સાથે વધારાના સામાન સાથે મુસાફરી કરવી મોંઘી થવા જઈ રહી છે. કારણ કે એર ઈન્ડિયાએ ફ્રી સામાન સાથે મુસાફરી કરવાની મર્યાદા ઘટાડી દીધી છે. વાસ્તવમાં, એર ઈન્ડિયાએ હવે 20 કિલોની ફ્રી સામાનની મર્યાદા ઘટાડીને 15 કિલો કરી દીધી છે. હવે 15 કિલોથી વધુ સામાન સાથે મુસાફરી કરવી મોંઘી થઈ ગઈ છે. સરકાર પાસેથી એર ઈન્ડિયા પર નિયંત્રણ લીધા બાદથી ટાટા ગ્રુપ એરલાઈન્સને નફાકારક બનાવવા માટે અલગ-અલગ પગલાં લઈ રહ્યું છે. સરકારના નિયંત્રણ હેઠળ એર ઈન્ડિયાને લગભગ 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

હકીકતમાં એરલાઈને આ જાણકારી ટ્રાવેલ એજન્ટ્સને મોકલેલા નોટિફિકેશનમાં આપી હતી. એર ઈન્ડિયાએ કહ્યું છે કે, ઈકોનોમી કમ્ફર્ટ અને કમ્ફર્ટ પ્લસ કેટેગરીમાં મુસાફરી કરતા મુસાફરો હવે માત્ર 15 કિલો વજનની એક બેગ સાથે મફતમાં મુસાફરી કરી શકશે. કંપનીનો આ નિર્ણય ગુરુવારથી અમલમાં આવશે. ટાટા ગ્રુપે 2022માં એર ઈન્ડિયાને ખરીદી હતી. આ પહેલીવાર નથી કે જ્યારે એર ઈન્ડિયાએ ફ્રી બેગેજ એલાઉન્સમાં ઘટાડો કર્યો હોય. અગાઉ, એરલાઈન્સને ચેક-ઈન બેગેજ તરીકે 25 કિલો સુધીની બેગ લઈ જવાની છૂટ હતી. તે પછી ગયા વર્ષે તે ઘટાડીને 20 કિલો કરવામાં આવ્યું હતું.

દેશની મોટાભાગની ખાનગી એરલાઈન્સ માત્ર 15 કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી આપે છે. હવે એર ઈન્ડિયામાં પણ આ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જોકે, ઈન્ડિગો જેવી બજેટ એરલાઈન્સ મુસાફરોને માત્ર એક બેગ લઈ જવાની છૂટ આપે છે. પરંતુ એર ઈન્ડિયા સાથે તમે 15 કિલો સુધીની બહુવિધ બેગ લઈ જઈ શકશો. નોંધનીય છે કે એવિએશન રેગ્યુલેટર DGCAના નિયમો અનુસાર તમામ એરલાઈન્સ પોતાના મુસાફરોને ઓછામાં ઓછી 15 કિલોની બેગ લઈ જવાની મંજૂરી આપી શકે છે.

જોકે, એર ઈન્ડિયાના ઈકોનોમિ ફ્લેક્સ કેટેગરીમાં મુસાફરી કરતા મુસાફરો 25 કિલો સુધીની બેગ લઈ જઈ શકે છે. ગયા વર્ષે એરલાઈને આવક વધારવા માટે ઈકોનોમી ક્લાસને અનેક કેટેગરીમાં વહેંચી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઘણા દિવસોથી ગુમ કોંગ્રેસના નેતાની અડધી બળેલી લાશ મળી, હત્યાની આશંકા

આ પણ વાંચો:ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર આજે સમાપ્ત થશે, અયોધ્યામાં PM મોદીનો રોડ શો

આ પણ વાંચો:કસાબે નહીં,પોલીસકર્મીની ગોળીથી મૃત્યુ પામ્યા હેમંત કરકરે, કોંગ્રેસ નેતાએ ઉજ્જવલ નિકમને ગણાવ્યા દેશદ્રોહી