કેન્દ્ર સરકારે Air India નાં વિનિવેશ માટે ટાટા સન્સની પસંદગી કરી છે. રિયલ એસ્ટેટ, પેઇન્ટિંગ્સ અને અન્ય નોન-કોર એસેટ્સ પણ Air India ની નવી હોલ્ડિંગ કંપની પાસે જવાના છે. Air India ની નવી હોલ્ડિંગ કંપનીએ હવે બેંક લોન ઉપરાંત અનપેડ બિલ ટ્રાન્સફર કરવા પડશે.
આ પણ વાંચો – લખીમપુર હિંસા / આજે મનાવવામાં આવશે શહીદ કિસાન દિવસ,સંયુક્ત કિસાન મોર્ચાે આપશે શ્રદ્વાંજલિ
આપને જણાવી દઇએ કે, ટાટા જૂથને ખોટ કરતી એરલાઇનને સોંપતા પહેલા, સરકાર તેના ઇંધણનાં બિલ અને સપ્લાયર્સનાં અન્ય લેણાં લગભગ 16,000 કરોડ રૂપિયાનાં સ્પેશિયલ પર્પઝ યુનિટ (SPV) ને ટ્રાન્સફર કરશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL), જે જમીન અને ઇમારતો જેવી Air India ની નોન-કોર એસેટ્સનું સંચાલન કરી રહી છે, એરલાઇનનાં દેવાનાં 75 ટકા હિસ્સા પણ ધરાવશે, જેની જવાબદારી ટાટા જૂથ દ્વારા લેવામાં આવી રહી નથી. સરકારનાં ખાનગીકરણ કાર્યક્રમનું સંચાલન કરનારા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) નાં સચિવ તુહિનકાંત પાંડેએ જણાવ્યું હતું કે, દેવા ઉપરાંત, એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL) પાસે ઓઇલ કંપનીઓ, એરપોર્ટ પરિચાલકો અને વિક્રેતાઓ પાસેથી લેણાં સહિત વધારાની જવાબદારીઓ પણ હશે.
આ પણ વાંચો – ગાંધીનગર / હત્યારા સચિન દિક્ષિતના 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર, કોર્ટમાં કાર્યવાહી દરમિયાન આંખમાં આવ્યા આંસુ
પાંડેએ જણાવ્યું હતું કે, તેમને ડિસેમ્બરનાં અંત સુધીમાં આ લેણાં વધુ વધવાની અપેક્ષા નથી, કારણ કે સરકાર 20 કરોડ રૂપિયાનું દૈનિક ભંડોળ પૂરું પાડીને એરલાઇનની કામગીરીને ટેકો આપવાનું ચાલુ રાખશે. Air India ને ટાટાને સોંપતા પહેલા, સરકાર બાકીનાં ચાર મહિનાનાં સમયગાળા (સપ્ટેમ્બર-ડિસેમ્બર) માટે Air India પુસ્તકો પર કામ કરશે અને બાકી રહેલી જવાબદારીઓ AIAHL ને ટ્રાન્સફર કરવામાં આવશે. 31 ઓગસ્ટ સુધીમાં Air India પર કુલ બાકી 61,562 કરોડ રૂપિયા હતું. તેમાંથી ટાટા સન્સ હોલ્ડિંગ કંપની ટેલ્સ પ્રાઇવેટ લિ. 15,300 કરોડ લેવામાં આવશે અને બાકીનાં 46,262 કરોડ AIAHL ને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત, Air India ની જમીન અને બિલ્ડિંગ સહિત નોન-કોર એસેટ્સ પણ AIAHL ને ટ્રાન્સફર કરવામાં આવશે. તેની કિંમત 14,718 કરોડ આંકવામાં આવી છે.