ભારતીય વાયુસેનાનો કાફલો ટૂંક સમયમાં 83 તેજસ વિમાનને સમાવશે. ફાઇટર એરક્રાફ્ટ તેજસ માટે 48,000 કરોડનાં સોદાને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. સીસીએસ એ વડા પ્રધાનની અધ્યક્ષતામાં ડીલને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ સોદા અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય એરફોર્સને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો છે. રાજનાથસિંહે કહ્યું કે, આ સોદો સંરક્ષણ ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થશે.
આપને જણાવી દઇએ કે, તેજસ મિસાઇલો હવાથી હવામાં અને હવાથી જમીન પર નિશાન કરી શકે છે. તેમાં એન્ટિશિપ મિસાઇલો, બોમ્બ અને રોકેટ પણ રાખી શકાય છે. તેજસ 42% કાર્બન ફાઇબર, 43% એલ્યુમિનિયમ એલોય અને ટાઇટેનિયમથી બનાવવામાં આવે છે. તેજસ એક સ્વદેશી ચોથી પેઢીનું ટેલલેસ કમ્પાઉન્ડ ડેલ્ટા વિંગ વિમાન છે. તે ચોથી પેઢીનાં સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટનાં જૂથનું સૌથી હળવું અને સૌથી નાનું છે. તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ) પશ્ચિમ સરહદ પર પાકિસ્તાનની સરહદની નજીક ભારતીય વાયુસેના દ્વારા તૈનાત કરવામાં આવેલ છે. તેજસ સોદા અંગે રાજનાથસિંહે કહ્યું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) તેના નાસિક અને બેંગલુરુ વિભાગોમાં પહેલાથી જ બીજી લાઇન ઉત્પાદન સુવિધા સ્થાપિત કરી ચૂકી છે. એચએલ ભારતીય વાયુ સેનાને એલસીએ-એમકે 1 એ બનાવશે. તેમણે કહ્યું કે, આજે લીધેલા નિર્ણયથી હાલની એલસીએ સિસ્ટમનો વિસ્તાર થશે અને રોજગારની નવી તકો બનાવવામાં મદદ મળશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વધુમાં કહ્યું કે, પીએમ મોદીનાં અધ્યક્ષતા હેઠળનાં સીસીએસ એ આજે ઐતિહાસિક રીતે સૌથી મોટા સ્વદેશી સંરક્ષણ સોદા પર મહોર મારી દીધી છે. આ સોદાની કિંમત 48 હજાર કરોડ છે. આ દેશી Te એલસીએ તેજસ દ્વારા આપણા એરફોર્સનાં કાફલાની તાકાતને મજબૂત બનાવશે. આ સોદો ભારતનાં સંરક્ષણ ઉત્પાદન માટે ગેમ ચેન્જર સાબિત થશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…