Video/ જંગલી પ્રાણીઓ જોવા રણથંભોર પહોંચ્યો અક્ષય કુમાર, દીકરી નિતારા સાથે ગાયને ખવડાવ્યો ચારો 

અક્ષય કુમાર હંમેશા પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે સમય કાઢે છે. અક્ષય કુમારની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે,

Entertainment
અક્ષય કુમાર

બોલિવૂડના જાણીતા અભિનેતા અક્ષય કુમાર પોતાના કામના પ્રતિબદ્ધતાઓને લઈને ખૂબ જ વ્યસ્ત છે. બોલિવૂડને એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મો આપનાર અભિનેતા અક્ષય કુમાર હંમેશા પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માટે સમય કાઢે છે. અક્ષય કુમારની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જે સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. હાલમાં જ અક્ષય કુમારની કેટલીક તસવીરો અને એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અક્ષય કુમાર રણથંભોરમાં તેની પુત્રી નિતારા સાથે ગાયને ચારો ખવડાવતા જોવા મળે છે. અક્ષય કુમારની આ  તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો :સલમાન ખાને પાડોશી પર કર્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

અક્ષય કુમારે દીકરી નિતારા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેની પુત્રી સાથે રણથંભોર નેશનલ પાર્કમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અક્ષય કુમાર તેની પુત્રી સાથે ગાયને ચારો ખવડાવી રહ્યો છે. તે જ સમયે તેની પુત્રી નિતારા પણ થોડી ડરી ગઈ હતી. પરંતુ બોલિવૂડના ખિલાડી કુમારે તેની પુત્રીને હિંમત આપી અને ગાયને ચારો આપવા માટે પ્રોત્સાહિત કરી. અક્ષય કુમારે શેર કરેલા આ વીડિયોમાં તેની ફિલ્મ સૂર્યવંશીનું ગીત મેરા યારા વાગી રહ્યું હતું.

https://www.instagram.com/reel/CYyrOD4rbWJ/?utm_source=ig_web_copy_link

અક્ષય કુમાર પરિવાર સાથે રણથંભોર નેશનલ પાર્ક પહોંચી ગયો છે. તે અહીં ટાઇગર સફારી કરવા આવ્યો છે. રણથંભોર નેશનલ પાર્ક વીકએન્ડ કર્ફ્યુને કારણે બંધ હતું, તેથી તે આજે તેના પરિવાર સાથે ટાઇગર સફારી કરી શકે છે. આ સાથે તે અહીંના જંગલી પ્રાણીઓને પણ જોશે. આ વીડિયો શેર કરવાની સાથે અક્ષય કુમારે જણાવ્યું કે ગાયને ખવડાવવામાં અને ઝાડની ઠંડી હવા લેવાનો તેમને ઘણો આનંદ મળી રહ્યો છે.

આ પણ વાંચો :ભારતની નવદીપ કૌરે જીત્યો બેસ્ટ કોસ્ચ્યુમનો એવોર્ડ, ‘કુંડલિની ચક્ર’થી પ્રેરિત પહેર્યો ખાસ ડ્રેસ

પોતાના એક્શન માટે જાણીતો અક્ષય કુમાર તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની ફિલ્મોની માહિતી તેના ફેન્સ સાથે શેર કરતો રહે છે. અભિનેતા તેની આવનારી ઘણી ફિલ્મોમાં એક્શનથી ધમાલ મચાવનાર છે. જેમાં માનુષી છિલ્લર સાથેની ફિલ્મ ‘પૃથ્વીરાજ’ જે કોરોના રોગચાળાને કારણે મુલતવી રાખવામાં આવી છે, ભૂમિ પેડનેકર સાથેની ‘રક્ષાબંધન’, જેકલીન ફર્નાન્ડીઝ સાથેની ‘રામ સેતુ’, રકુલ પ્રીત સિંહ સાથેની ‘સિન્ડ્રેલા’માં જોવા મળશે.

આ પણ વાંચો :બચ્ચન પાંડેના સેટ પર લાગી આગ, જાણો કેવી છે અક્ષય કુમાર અને કૃતિ સેનનની હાલત

આ પણ વાંચો : જાણો, હવે કેવી છે લતા મંગેશકરની તબિયત, સામે આવ્યું મોટું અપડેટ

આ પણ વાંચો : ‘કહો ના પ્યાર હૈ’ ગીત લખનાર ગીતકાર ઇબ્રાહિમ અશ્કનું કોરોનાથી મોત