અમરનાથ યાત્રા પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ(NGT) સ્પષ્ટતા કરી છે કે, અમરનાથને લઈને ખોટી રીતે તેનું રીપોર્ટીંગ કરવામાં આવ્યું છે. NGT એ કહ્યું છે કે, મંત્રોચ્ચાર અને આરતી પર કોઈ રોક લગાવામાં નથી આવી. ફક્ત શિવલિંગ સામે જ શાંતિ જાળવી જોઈએ.
સાથે સાથે કહ્યું છે કે, ગુફાની સીડીઓ પેહલા લોકોએ પોતાનો સામાન જમા કરવો પડશે, અને ગુફાની અંદર જવા માટે લાઈનમાં ચાલવું પડશે.
NGT કહ્યું છે કે, અમરનાથ ગુફાને સાઈલેંટઝોન જાહેર નથી કર્યું. બસ તીર્થયાત્રીઓની સુરક્ષા અને આરામ માટે જ નિર્દેશ આપ્યો છે.
VHP વિશ્વ હિંદુ પરિસદ એ કહ્યું કે, આં હિંદુઓનું અપમાન છે. NGT એ કરેલ જાહેરાત તેમણે પાછી ખેંચી લેવી જોઈએ.
તમને જણાવી દઈકે કે, શિવભકતો અમરનાથ યાત્રા વખતે ભગવાન શિવના જયકાર લગાવે છે, ઘંટીઓ વગાડે છે જેના કારણ લૈંડસ્લાઈડ થવાની ઘટનાઓને રોકવા માટે આ નિર્યણ લેવામાં આવ્યો છે.