મંદિર/ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 15થી 22 જાન્યુઆરી સુધી બંધ

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને અંબાજી ટ્રસ્ટે મંદિર દર્શાનાર્થીઓ માટે આગામી 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Gujarat
10 11 અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 15થી 22 જાન્યુઆરી સુધી બંધ

શક્તિપીઠ અંબાજીમાં રોજે હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. અને બીજી તરફ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને અંબાજી ટ્રસ્ટે મંદિર દર્શાનાર્થીઓ માટે આગામી 15 થી 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિરે આવતા માઈભક્તોની સુરક્ષાને લઈને મંદિર ટ્રસ્ટે આ નિર્ણય કર્યો છે.આ સાથે જ ગબ્બર શક્તિપીઠ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અંબાજીમાં 17 જાન્યુઆરીએ યોજાનાર પોષી પુનમનો કાર્યક્રમ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. માઈભક્તો માટે અંબાજી મંદિરથી આરતીનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે

9 9 અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 15થી 22 જાન્યુઆરી સુધી બંધ

ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ રાજ્યમાં રોકેટની ગતિએ વધી રહ્યા છે, આવનાર દિવસોમાં કોરોના  કેસ ખુબ વધી શકે છે, કેસ વધતાં અંબાજી મંદિરના દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.