Gandhinagar News/ અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો

Gandhinagar News : ગુજરાતના કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ સરકાર સામે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે જો સરકાર આ રિપોર્ટ જાહેર ન કરે, તો તેઓએ ધરણા કરવાની ચિમકી આપી છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News : કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ઓ.બી.સી.(OBC) સમાજને સતત અન્યાય કરી રહી છે અને આ સમાજને બજેટની ફાળવણીમાં ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ(SC)ના આદેશ મુજબ દરેક રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી.(OBC)ની અનામત બેઠકો નક્કી કરવા માટે કમિશન બનાવવાની સુચના આપવામાં આવી હતી, જેના ભાગ સ્વરૂપ જુલાઈ ૨૦૨૨માં સમર્પિત આયોગની રચના કરવામાં આવી હતી.

આયોગ દ્વારા રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ સરકાર દ્વારા તેને જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. અમિત ચાવડા(Amit Chavda) એ આ અંગે સરકારની મેલીમુરાદ અને ઓ.બી.સી.(OBC) સમાજને મળવાપાત્ર અનામત ન આપવાના આરોપો લગાવ્યા છે. તેઓએ જણાવ્યું કે જો આગામી એક અઠવાડિયાની અંદર રીપોર્ટ જાહેર ન કરવામાં આવે, તો તેઓ મુખ્યમંત્રીના કાર્યાલય બહાર ધરણા કરશે. તેમણે સરકારને તાત્કાલિક રીપોર્ટ જાહેર કરવાની માંગણી કરી છે.

ઓ.બી.સી. સમાજને અન્યાય

અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરી રહી છે અને બજેટની ફાળવણીમાં ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી.ની અનામત બેઠકો નક્કી કરવા માટે કમિશન બનાવવાની સુચના આપવામાં આવી હતી, જેના ભાગ સ્વરૂપ જુલાઈ ૨૦૨૨માં સમર્પિત આયોગની રચના કરવામાં આવી હતી.

રીપોર્ટની વિલંબિત સ્વીકૃતિ

આયોગ દ્વારા રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ સરકાર દ્વારા તેને જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું કે આયોગનો રીપોર્ટ સ્વીકારવામાં ૧૦ મહિના લાગ્યા, અને ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓએ જણાવ્યું કે સરકાર ઓ.બી.સી. સમાજને મળવાપાત્ર અનામત ન આપવાના પ્રયાસો કરી રહી છે, અને આ રીપોર્ટને છુપાવીને પોતાની પોલ ખુલ્લી ન પડી જાય તે માટે પ્રયાસ કરી રહી છે.

ધરણાની ચિમકી

અમિત ચાવડાએ જણાવ્યું કે જો આગામી એક અઠવાડિયાની અંદર રીપોર્ટ જાહેર ન કરવામાં આવે, તો તેઓ મુખ્યમંત્રીના કાર્યાલય બહાર ધરણા કરશે. તેમણે સરકારને તાત્કાલિક રીપોર્ટ જાહેર કરવાની માંગણી કરી છે. લોકો અને મીડિયમાં સમક્ષ રિપોર્ટ સરકારે રજૂ કરવો જોઈએ, જેથી સર્વે માહિતી મળે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં પાણી કરતાં વધુ દારૂ મળે છે… કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવા પર અમિત ચાવડાના મોટા આક્ષેપ

આ પણ વાંચો: બિહારની જેમ ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરોઃ અમિત ચાવડા

આ પણ વાંચો: ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ મને મળશે: અમિત ચાવડા