ઉત્તર ભારતના લોકોમાં આસ્થાનું પર્વ છઠ પૂજા શુક્રવારે સવારે ઉગતા સૂર્યના અધ્યયન સાથે સમાપ્ત થયું હતું. છઠ પૂજાના ચોથા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે શુક્રવાર સવારે જુદા-જુદા નદીઓ તેમજ તળાવોના કિનારે પહોચ્યા હતા. તેઓએ પાણીમાં ઉભા રહીને ઉગતા સૂર્યને બીજું અધ્યયન કર્યું હતું.
છઠ પૂજાના અંતિમ દિવસે ઉગતા સૂર્યનું અધ્યયન કરવાની પરંપરા છે. આ સાથે જ પૂજા અર્ચના બાદ પ્રસાદ લઈને શ્રદ્ધાળુઓ પોતાના ઉપવાસની સમાપ્તિ કરે છે. મહત્વનું છે કે, 24 ઓકટોબરના રોજ સ્નાન અને પ્રસાદ આરોગીને શરુ થયેલું આ મહાપર્વ સપ્તમીના દિવસે ઉગતા સૂર્યના અધ્યયન સાથે સમાપ્ત થયું છે.