વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ગૃહ મંત્રાલય અને એનડીએમએ સાથે ચક્રવાતી તોફાનની તૈયારી અંગે ચર્ચા કરશે. જણાવી દઇએ કે, હવામાન વિબાગ (IMD)અનુસાર બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન એમ્ફાને અત્યંત ભયાનક રૂપ ધારણ કર્યુ છે, જ્યારે, ગૃહ મંત્રાલયે માહિતી આપી છે કે બુધવારે આ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશનાં દરિયાકાંઠે અથડાશે. આ સમય દરમિયાન પવનની ગતિ 185 કિમી પ્રતિ કલાકની ઝડપે હોઈ શકે છે.
આવી સ્થિતિમાં, આવનારો સમય ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે મોટો પડકારજનક બનવાનો છે. આ ચક્રવાતથી ઓડિશા ખરાબ રીતે પ્રભાવિત થવાનું છે. રાજ્ય સરકારે 11 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવાની તૈયારી કરી લીધી છે અને ઓડિશા અને બંગાળમાં રેડ એલર્ટ જારી કર્યુ છે.
PM Narendra Modi to chair a high-level meeting with the Ministry of Home Affairs (MHA) and National Disaster Management Authority (NDMA) today at 4 PM, to review the arising cyclone situation in parts of the country. #Amphan (file pic) pic.twitter.com/gvcNgQQkeU
— ANI (@ANI) May 18, 2020