રાજકોટ યુનિવર્સીટી ખાતે સિન્ડીકેટની બેઠક મળી હતી. ત્યારે યુનિવર્સીટીના કોન્ફરન્સ રૂમ ખાતે મળેલી બેઠકમાં યુનિવર્સીટીના શિક્ષક એસોસિએશનની માન્યતા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સેનેટની બેઠકમાં એકાએક નિર્ણય કરવામાં આવતા યુનિવર્સીટીના અધ્યાપકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
રાજકોટ યુનિવર્સીટીની સીન્ડીકેટ બેઠક મળી હતી. જે બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં છેલ્લા ૪ દાયકાથી કાર્યરત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શિક્ષક એસોસિએશનની માન્યતા રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય સિન્ડીકેટની બેઠકમાં કરવામાં આવતા અધ્યાપકોમાં નારાજગી વ્યાપી જવા પામી હતી. ત્યારે યુનિવર્સીટીની સીન્ડીકેટ બેઠક દ્વારા અચાનક જ શિક્ષક એસોસિએશનની માન્યતા રદ કરવાનો નિર્ણય કરવામાં આવતા અધ્યાપક મંડળના અધ્યાપકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…