આણંદમાં અત્મ હત્યાનો કાળજુ કંપવી દેતો બનાવ સામે આવ્યો છે. લોકોની ભારે ચહેલ પહેલ ધરાવતા આણંદ રેલ્વે સ્ટેશન પર એક કરૂણાંકીતા ઘટી અને મુસાફરોમાં ભારે ગભરાહટ સાથે ભારે દુ:ખની લાગણી વ્યાપી ગઇ હતી. જ્યારે મુસાફરોએ રેલ્વે સ્ટેશનનાં પગથીયાં પર અચાનક મૃતદેહ જુલતો જોયો. ત્યારે લોકનાં જાણે હોસ ઉડી ગયા હોય તેમ આક્રંદ વ્યક્ત કરવું કે અશ્ચર્ચ વ્યક્ત કરવું તે પણ નક્કી નહોતા કરી શક્યા.
ભારે અચરજ અને આશ્ચર્ય સાથે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્રારા તુરંતમાં મુસાફરો ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક વુધ્ધ દ્રારા કોઇ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેવામાં આવ્યું છે અને ઘણાં લાંબા સમયથી મૃતકદેહ આજ હાલતમાં રેલ્વે સ્ટેશનનાં પગથિયા પર લટકી રહો છે.
મતૃદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી પોલીસ દ્રારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રકારની ઘટના બનતા આણંદમાં મુસાફરોની સાથે સાથે સામાન્ય નાગરીકોમાં પણ દુ:ખ અને શોકની લાગણી વ્યાપી ગઇ છે.