સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં વિજય હીરાલાલ ગવાની ઘાતકી હથિયાર વડે જાહેરમાં જ રેહેંસી નાખવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે બે બાળ કિશોરો સહીત ત્રણ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં વિજય હીરાલાલ ગવાની ઘાતકી હથિયાર વડે જાહેરમાં જ રેહેંસી નાખવામાં આવ્યો હતો. મરણજનારે બે વર્ષ પેહલા જ ડિંડોલી વિસ્તારમાં આવેલ ભીમનગરના નામચીન બુટલેગર કૈલાશ ઉર્ફે કાળું ની હત્યાનો આરોપી છે જેતે સમય દરમિયાન આરોપી નાબાલિક હોય જેથી તે હત્યા કાર્યબાદ થોડા જ મહિનાઓમાં છૂટી ગયો હતો અને પોતાના વતન જઈ રહેતો હતો. થોડા દિવસો પેહલા જ વિજય પોતાના વતન મહારાષ્ટ્ર થી સુરત આવતા જ ગઈકાલે તેને આરોપીઓ દ્વારા વાત કરવા માટે બોલવામાં આવ્યો હતો જ્યાં સમગ્ર હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.હાલ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથધરી છે.
સુરતમાં ફરી હત્યાનો બનાવ સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં વિજય હીરાલાલ ગવાની ઘાતકી હથિયાર વડે જાહેરમાં જ રેહેંસી નાખવામાં આવ્યો હતો.
આ બાબતે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યુંકે, ગઈકાલે રાતે 11:30 વાગ્યાની આસપાસ ડીંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિજય હીરાલાલ ગવાની હત્યા કરવામાં આવી હતી. અને આ હત્યા આરોપી સોનું ઉર્ફે બંટી અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો એમ ત્રણ આરોપીઓની પોલીસે હાલ અટક કરી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે. ઘટના બનતા જ ડીંડોલી પોલીસ નો કાફલો ઘટના સાથે પહોંચ્યો હતો અને તાતકાલિક આ મામલે ગુન્હોનોંધી આ કામના ત્રણે આરોપીઓની અટક કરી લીધી હતી. તેઓની પૂછપરછ માટે નામદાર કોર્ટમાં રજૂ કર્યું રિમાન્ડ મેળવામાં આવશે.
જોકે આ હત્યા કરવા પાછળનું કારણ ગઈકાલે રાતે મરણ જનાર અને આરોપીઓ વચ્ચે કોઈ વાતે બોલા ચાલી થઇ હતી અને આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગયું હતું અને અંતે અટક કરવામાં આવેલા ત્રણેય આરોપીઓ દ્વારા મરણ જનાર ઉપર ઘાતકી હથિયાર વડે તૂટી પડ્યા હતા અને તેને જાહેરમાં જ રેહેંસી નાખવામાં આવ્યો હતો. મરણજનારના ગળા અને છાતી ના ભાગે ચપ્પુ ના ઘા મારવામાં આવ્યા હતા જેની કારણે વિજયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વિજય થોડા દિવસ પહેલા જ પોતાના વતન મહારાષ્ટ્ર થી સુરત આવ્યો હતો. મરણજનારે બે વર્ષ પેહલા જ ડિંડોલી વિસ્તારમાં આવેલ ભીમનગરના નામચીન બુટલેગર કૈલાશ ઉર્ફે કાળું ની હત્યાનો આરોપી છે જેતે સમય દરમિયાન આરોપી નાબાલિક હોય જેથી તે હત્યા કાર્યબાદ થોડા જ મહિનાઓમાં છૂટી ગયો હતો અને પોતાના વતન જઈ રહેતો હતો.
આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા
આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ