Jammu Kashmir/ ફરી આતંકી હુમલો, પોલીસ ટીમને નિશાન બનાવી, એક ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર નાપાક હરકતને અંજામ આપ્યો છે. અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ/સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો.

Top Stories India
Kashmir

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર નાપાક હરકતને અંજામ આપ્યો છે. અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ/સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

અગાઉ બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓએ બિહારના એક પરપ્રાંતિય મજૂરને ગોળી મારીને હત્યા કરી હતી. કાશ્મીર ઝોનની પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “મધેપુરા, બિહારના બેસાડના રહેવાસી મોહમ્મદ અમરેજ, પુત્ર મોહમ્મદ જલીલ, સોડનારા સંબલ, બાંદીપોરામાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને તેમને ઘાયલ કર્યા હતા.” જણાવ્યું હતું કે અમરેજને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ હુમલા એવા સમયે થયા છે જ્યારે દેશ સોમવારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. ગુરુવારે, આતંકવાદીઓએ રાજૌરી જિલ્લામાં આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ચાર જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકીઓ પણ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ ઘાતક ‘સ્ટીલ કોર’ બુલેટથી સજ્જ હતા અને ચાર કલાકથી વધુ ચાલેલી અથડામણમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા.

પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે, હુમલો કરનારા બંને ‘ફિદાયીન’ સંભવતઃ આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના હતા. બંનેએ કેમ્પમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ માર્યા ગયા. આ ઓપરેશનમાં ભારતીય સેનાના છ જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી ચાર જવાનો બાદમાં શહીદ થયા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ૫ હેક્ટર વિસ્તારમાં ૭૩ હજારથી વધુ છોડવાઓથી તૈયાર થયેલા ‘વટેશ્વર વન’નું લોકાર્પણ