રાજકોટ તેમજ ગોંડલ,જેતપુર, ધોરાજી પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ભાદર નદીમાં પુર આવ્યુ છે. ભાદરનું પાણી કુતિયાણા થઈ અને ઘેડ પંથકના ગામોમાં ફરી વળ્યુ છે.
પુરની પરિસ્થિતિને લઈને તંત્રે રેસ્કયુ ટીમ તૈનાત કરી છે અને મામલતદાર તેમજ ડીઝાસ્ટરની ટીમે ઘેડ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી કુતિયાણાની ભાદર નદી બે કાંઠે વહી હતી ભાદર નદીના પુરને કારણે ૧૧ જેટલા ગામોને સર્તક રહેવા તંત્રે આદેશ કર્યો છે.
તેમજ નદીના પટમાં અવરવજર નહી કરવા પણ સૂચના આપી હતી. ભાદર નદીમાં વધુ પુર આવે તો નુકશાન ન થાય તે માટે તેમજ બચાવ રાહત કાર્ય માટે એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
બીજી તરફ કુતિયાણાની ભાદર નદીમાં પુર આવતા કુતિયાણા અને ઘેડ પંથકના ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાદર નદી બે કાંઠે વહેતા નાના મોટા ચેકડેમો પણ છલકાઈ ઉઠયા હતા.