અરવલ્લી,
અરવલ્લી જિલ્લાના ખેડૂતોને નાફેડ દ્રારા અન્યાય કરવામાં આવી રહયો હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહયો છે. મગફળીના વેચાણ માટે ગયેલા ખેડૂતોને જયાં ત્યાં રઞળપાટ કરવામાં આવી રહયો છે. ડોક્યુમેન્ટમાં રહેલી ભૂલના કારણે 2 હજાર ખેડૂતોના ફોમમાંથી 400 જેટલા ફોર્મ રદ થતાં બાકીના ખેડૂતોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી ન હતી.ખેડૂતોને જાણ કર્યા વગર ફોર્મ રદ કરતા ખેડુતોમાં અસંતોષ જોવા મળી રહયો છે.