ભારતમાં ચાના શોખીન લોકો ઘણાં વધારે છે. ઘણા લોકો તો એવા હોય છે કે જે ચા વગર રહી શકતા નથી. પરંતુ કેટલીક વખત તમે જોયું હશે કે ઘણાં લોકો ને એકલી ચા નથી ફાવતી. તેઓ હમેશા ચા નીસાથે કઈ ને કાઈ નાસ્તોપણ કરતા જ હોય છે.
કેટલીક વખત ચાની સાથે મેંદાથી બનેલી કે ચણાના લોટથી બનેલી વસ્તુઓનું સેવન કરવાનું પસંદ કરે છે. જેમ કે નમકીન, ભજીયા, બિસ્કિટ સહિતની વસ્તુઓ ખાઓ છો.
પરંતુ આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે, કે ચાની સાથે મેદા કે ચણાના લોટથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. કારણકે તેની અસર તમારા સ્વાસ્થ્ય અને સ્કિન પર પડે છે.જો તમે પણ આવું કરો છો તો ચેતી જજો. કારણકે આ તમારા માટે ગંભીર સાબિત થઇ શકે છે. ચાની સાથે કેટલીક વસ્તુઓનું સેવન બિલકુલ પણ ન કરવું જોઇએ. કારણકે તેનાથી અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે.
- ચણાનો લોટ
જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે લોકો ચાની સાથે ભજીયા ખાવાનું પસંદ કરે છે. પરંતુ ચાની સાથે ચણાના લોટની વસ્તુઓ ખાવાથી નુકસાન થઇ શકે છે. ચાની સાથે જો તમે ચણાના લોટની વસ્તુઓ ખાઓ છો તો તેનાથી તમારા વાળ ખરવા લાગે છે. એટલું જ નહીં તેનાથી તમારા વાળ સફેદ પણ થઇ શકે છે.
- લીંબુ
ચાની સાથે લીંબુ ક્યારેય ન લેવું જોઇએ. આમ કરવાથી તમારા પેટમાં ઝેર બની શકે છે. તેનાથી એસીડિટી અને ગેસ જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
- પાણી
ઘરમાં ખાસ કરીને મોટા લોકો ચા પીધા બાદ તરત જ પાણી પીવાથી રોકે છે. આ વાત સાચી છે. કારણકે ચા પીધા બાદ પાણી પીવાથી પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ચા પીધા બાદ તરત પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે.
- હળદર
ચા પીધા બાદ તરત હળદરથી દૂર રહેવું જોઇએ. કારણકે હળદર કે તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી વાળ અને સ્કીનને લગતી સમસ્યાઓ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.