Movie Masala/ ‘પુષ્પા 2’નો ભાગ નહીં બને અર્જુન કપૂર, આ દિવસથી શરૂ થશે અલ્લુ અર્જુન-રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મનું શૂટિંગ

‘પુષ્પા 2’ના નિર્માતાઓએ અર્જુન કપૂરને ફિલ્મમાં લેવાનું મન બનાવી લીધું છે. ટૂંક સમયમાં જ ફિલ્મ મેકર્સ અર્જુનના નામની જાહેરાત કરશે કે અભિનેતાને ‘પુષ્પા 2’માં કોપની ભૂમિકા માટે સત્તાવાર રીતે સાઈન કરવામાં આવ્યો છે.

Trending Entertainment
પુષ્પા

ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ‘પુષ્પાઃ ધ રાઇઝ’એ દર્શકોને દિવાના બનાવ્યા હતા. આ ફિલ્મે તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકો કર્યો હતો. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોરોના વાયરસ મહામારી પછી રાહત લાવી છે. તેણે વિશ્વભરમાં 300 કરોડથી વધુનો બિઝનેસ કરીને નિર્માતાઓને અમીર બનાવ્યા. આ ફિલ્મને દર્શકોએ પણ વખાણી હતી. ત્યારથી ચાહકો આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, હાલમાં જ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર ‘પુષ્પા 2’માં મજબૂત ભૂમિકામાં જોવા મળશે.

‘પુષ્પા 2’ના નિર્માતાઓએ અર્જુન કપૂરને ફિલ્મમાં લેવાનું મન બનાવી લીધું છે. ટૂંક સમયમાં જ ફિલ્મ મેકર્સ અર્જુનના નામની જાહેરાત કરશે કે અભિનેતાને ‘પુષ્પા 2’માં કોપની ભૂમિકા માટે સત્તાવાર રીતે સાઈન કરવામાં આવ્યો છે. મીડિયામાં આ સમાચાર આવ્યા બાદ અર્જુનના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આ દરમિયાન ‘પુષ્પા 2’ અને અર્જુન સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે.

આ સમાચારની પુષ્ટિ કરતા પિંકવિલાએ કહ્યું કે ‘અર્જુન પુષ્પા 2નો ભાગ નહીં બને. ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંત સુધીમાં શરૂ થશે. ફિલ્મનું શુટિંગ 20 થી 30 તારીખની વચ્ચે શરૂ થવાની આશા છે. શરૂઆતમાં શૂટિંગ હૈદરાબાદમાં કરવામાં આવશે. ત્યારપછી અમે જંગલ અને અન્ય સ્થળોએ ફિલ્મને લગતા મહત્વના દ્રશ્યો શૂટ કરીશું.

આપને જણાવી દઈએ કે, ‘પુષ્પાઃ ધ રાઇઝ’ મૂળ તેલુગુમાં શૂટ કરવામાં આવી હતી, ત્યારબાદ આ ફિલ્મને હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં ડબ કરવામાં આવી હતી અને સમગ્ર ભારતમાં રિલીઝ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:ગરબાડા તાલુકાની માધ્યમિક શાળામાં ચોરી

આ પણ વાંચો:કામરેજ નકલી ચલણી નોટ કેસમાં મોટો ખુલાસો : અત્યાર સુધીમાં કુલ 334 કરોડની નકલી નોટ કરાઈ કબ્જે

આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર જીવલેણ હુમલા મામલે રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર