રિપબ્લિક ટીવીના સંપાદક અર્ણવ ગોસ્વામીને બુધવારે મુંબઇના ઇંટીરિયર ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા પ્રેરિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
good news / આનંદો…!! રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ફટાકડા ફોડવાની છ…
રિપબ્લિક ગ્રુપના ચીફ એડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીને જેલમાં રહેવું પડશે. શનિવારે બોમ્બે હાઈકોર્ટમાં અર્ણવની જામીન અરજી પર 6 કલાક સુનાવણી થઈ હતી. કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
Zarkhand / લાલુની લથડી તબિયત, ડાયાલિસિસની જરૂર પડી શકે છે…
કોર્ટે ચુકાદાની ઘોષણા માટે કોઈ તારીખ આપી ન હતી, એટલું જ કહ્યું કે તે જલ્દી ચુકાદો જાહેર કરશે. ઉપરાંત, અર્ણવને મુક્તિ આપી છે કે જો તે ઈચ્છે તો તે નીચલી અદાલતમાં અરજી કરી શકે છે. હાઈકોર્ટે નીચલી અદાલતને આદેશ આપ્યો છે કે જો, અર્ણવ પીટીશન ફાઈલ કરે છે તો તેને ચાર દિવસમાં ચુકાદો આપી દેવો.
earthquake / ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા…
અર્ણબે દાવો કર્યો – પોલીસે તેને જૂત્તા થી માર માર્યો છે.
આ પહેલા અર્ણવના વકીલે હાઈકોર્ટમાં પૂરક અરજી કરી હતી. અર્ણવે દાવો કર્યો છે કે પોલીસે તેને જૂતાથી માર્યો હતો. પાણી પણ આપ્યું નાં હતું. અર્નબે પણ તેના હાથમાં 6 ઇંચ ઊંડા ઘા અને કરોડરજ્જુ અને નર્વની ઈજાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ધરપકડ સમયે પોલીસે પગરખાં પહેરવાનો સમય પણ આપ્યો નહોતો.
અર્ણવ ઉપર શુઆરોપ છે…?
મુંબઈ સ્થિત ઈન્ટિરિયર ડિઝાઇનર અનવય અને તેની માતાને આત્મહત્યા કરવા પ્રેરિત કરવા ના આરોપમાં અર્ણવની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. કોરોનાના કહેર વચ્ચે જામીન અરજીનો નિર્ણય લેવામાં આવે તે પહેલાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા ન હતા. છેલ્લી 3 રાતથી તેને અલીબાગની એક શાળામાં કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો.