રાજધાની દિલ્હીમાં શાસક પક્ષ આપ અને ભાજપ વચ્ચે રાજકીય લડત ચાલુ છે. શનિવારે, આમ આદમી પાર્ટીનાં નેતા આતિશી માર્લેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ઉત્તરી એમસીડી પર 1500 કરોડનાં કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ઉત્તરીય એમસીડીમાં ભાજપનાં મેયર છે, તેથી ભાજપનાં નેતાઓ પણ AAP પર પ્રહાર કરશે. આ દરમિયાન ધારાસભ્ય રાઘવ ચડ્ડા તેમના ઘણા સાથીદારો સાથે ગૃહ પ્રધાન અમિત શાહનાં નિવાસ સ્થાને પ્રદર્શન કરવા માંગતા હતા, જેમને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા છે.
આપને જણાવી દઇએ કે, ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ એમસીડી કૌભાંડ મામલે દિલ્હી પોલીસ પાસે ગૃહ પ્રધાનનાં નિવાસની બહાર શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવા માટે મંજૂરી માંગી હતી, પરંતુ કોરોના રોગચાળાને ટાંકીને દિલ્હી પોલીસે તેનો ઇનકાર કર્યો હતો. આ પછી, ધારાસભ્ય રાઘવ તેમના ધારાસભ્યો સાથે રવિવારે સવારે ગૃહમંત્રીનાં નિવાસસ્થાને જવાનું શરૂ કર્યું. જેના પર દિલ્હી પોલીસે માર્ગ દ્વારા રાઘવ ચડ્ડા, ધારાસભ્યો ઋતુરાજ, કુલદીપ કુમાર, સંજીવ ઝા ની ધરપકડ કરી હતી.
વળી રાઘવ ચડ્ડાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, “ભાજપ શાસિત એમસીડીએ દિલ્હીનાં ઇતિહાસમાં સૌથી મોટો 2500 કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યો છે. અમે ગૃહ પ્રધાન અમિત શાહજીને મળવા માટે સમય માંગ્યો તો તેમણે મારી મારા નિવાસસ્થાનથી જ ધરપકડ કરી છે. અમિત શાહજી, તમે તમારી પોલીસનાં દમ પર તમારા પક્ષનાં ભ્રષ્ટાચારને શા માટે દબાવવા માંગો છો ”? વળી આપ નાં ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે ટ્વીટ કર્યું હતું કે ધારાસભ્ય ઋતુરાજની પણ ધરપકડ કરવામાં આવી છે.
TRP કેસમાં રિપબ્લિક ટીવીનાં CEO વિકાસ ખાનચંદાનીની ધરપકડ
શહેરમાં ટ્રાફિક સિગ્નલનો નવતર પ્રયોગ, જાણો
દૂધસાગર ડેરી ચૂંટણી પૂર્વે મોટા સમાચાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…