Not Set/ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર પાકિસ્તાની સમર્થકો કરી રહ્યા છે, દુર્ગા પંડાલમાં કુરાન રાખી

બાંગ્લાદેશમાં તાજેતરની દુર્ગા પૂજા દરમિયાન લઘુમતી હિન્દુ સમુદાય સામે થયેલી હિંસા માટે સરકારે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને પાકિસ્તાન તરફી સમર્થકોને જવાબદાર ઠેરવ્યા છે.

Top Stories World
BANGALADESH 1 બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર પાકિસ્તાની સમર્થકો કરી રહ્યા છે, દુર્ગા પંડાલમાં કુરાન રાખી

બાંગ્લાદેશમાં તાજેતરની દુર્ગા પૂજા દરમિયાન લઘુમતી હિન્દુ સમુદાય સામે થયેલી હિંસા માટે સરકારે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને પાકિસ્તાન તરફી સમર્થકોને જવાબદાર ઠેરવ્યા છે. હસીના સરકારમાં માહિતી અને ટેક્નોલોજી મંત્રી એમ હસન મહમૂદે ગુરુવારે કોલકાતામાં આ દાવો કર્યો હતો. અહીં પ્રેસ ક્લબમાં મીડિયાને સંબોધતા મંત્રીએ કહ્યું, “બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના લોકો સારી રીતે જાણે છે કે આની પાછળ કોણ છે. BNP અને જમાત જેવા કેટલાક પક્ષો સાંપ્રદાયિકતામાં માને છે અને અસ્થિરતા પેદા કરવા માંગે છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે દુર્ગા પંડાલમાં કુરાન કોઈ હિંદુએ નહીં પરંતુ મુસ્લિમ વ્યક્તિએ રાખ્યું હતું.

બાંગ્લાદેશી મંત્રીએ કહ્યું, તમે બધા જાણો છો કે દેશના સ્વતંત્રતા સંગ્રામ (1971) દરમિયાન પણ કેટલાક લોકો એવા હતા જેમણે પાકિસ્તાની સેનાને સમર્થન આપ્યું હતું. ભૂલશો નહીં કે તેમના વંશજો હજી પણ ત્યાં છે.” બાંગ્લાદેશમાં કુરાનની કથિત અપમાનની ઘટનાને કારણે હિન્દુઓ પર હુમલા થયા. ઘણી જગ્યાએ દુર્ગા પૂજા પંડાલો અને મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને લઘુમતી સમુદાયના લોકોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. અથડામણમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું હતું કે ઈકબાલ હુસૈન નામના વ્યક્તિએ કામિલામાં આ કાવતરું ઘડ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીએ કુરાન હનુમાનના મંદિરમાં રાખવાની કબૂલાત કરી છે.

મહમૂદે કહ્યું,જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે આ લોકો ભારત વિરોધી અને હિંદુ વિરોધી સૂત્રોચ્ચાર કરે છે અને કહે છે કે તમે લોકો મત ન આપો. આ લોકોએ રાજકીય હેતુ માટે આ ઘટનાને અંજામ આપ્યો છે. તેમણે કહ્યું,કોઈ હિન્દુએ પૂજા પંડાલમાં કુરાન રાખ્યું ન હતું.