કાવતરું/ વલસાડમાં ફરી ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ, બાંદ્રા વાપી ટ્રેનની અડફેટે…

ઉમરગામ નજીક પાટા પર પથ્થર નાખી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Others
ટ્રેન ઉથલાવવાનો
  • ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ
  • પાટા પર પથ્થર મુકી ટ્રેન ઉથલાવાનો પ્રયાસ
  • ઉમરગામ નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ
  • બાંદ્રા વાપી ટ્રેનની અડફેટે આવ્યો પથ્થર
  • ટ્રેનના એન્જીનના કેટર ગાર્ડને થયું નુકશાન

વલસાડના ઉમરગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પાટા પર પથ્થર નાખી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલામાં ટ્રેનના એન્જીનના કેટર ગાર્ડને નુકસાન પોહ્ચ્યું હતું.અને રેલ્વેના અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પોહ્ચ્યા હતા.  ઉલ્લેખનીય છે કે વલસાડ જીલ્લામાં છેલ્લા ૩ મહિનામાં આ બીજી ઘટના સામે આવી હતી.

આ પહેલા જાન્યુઆરીમાં વલસાડના અતુલ રેલ્વે સ્ટેશન પાસે  કેટલાક ટિકળખોરોએ  સિમેન્ટનો પોલ રેલ્વે ટ્રેક ઉપર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ રેલ્વે અધિકારી, સુરત રેન્જ DG સહિત વલસાડ પોલીસ અને રેલ્વેની GRP અને RPF સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનને 5 મિનિટ લેટ કરવામાં આવી હતી.

આ બાદ ફેબ્રુઆરીમાં પણ અમદાવાદમાં મોરેયા અને મટોડા રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સે રેલવે દુર્ઘટના કરવાના ઇરાદે 134 સ્લેપાટના 286 એન્કર ERC ઉખાડી દીધા હતા. અને ઝાંડીમાં ફેંકી દીધા હતા. આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ તપાસ આરંભી હતી, જ્યારે રેલ્વે પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. તેમજ જે વિસ્તાર વચ્ચે આ કૃત્ય કરવામાં આવ્યું હતું તેની આસપાસ રેલ્વે ટ્રેકની સુરક્ષા વ્યવસ્થા વધારવા આવી છે. તેમજ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત રેલ્વે પોલીસને આસપાસની ઝાડીઓમાંથી પાટા પરથી દૂર કરવામાં આવેલા એન્કર મળી આવ્યા હતા.

આ પણ વાંચો:ગુજરાતી અભિનેત્રી સામે ફરિયાદ, યુવકને પ્રેમમાં ફસાવી યશ્વી પટેલે પડાવ્યા આટલા લાખ