Banaskantha News/ બનાસકાંઠા : દિયોદર ગોદા નર્મદા કેનાલમાં સામૂહિક આપઘાત

મહિલા સહિત 2 બાળકોએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું

Gujarat Top Stories Others

Banaskantha News : બનાસકાંઠાના દિયોદર ગોદા નર્મદા કેનાલમાં સામૂહિક આત્મહત્યાના બનાવને લઈને ચકચાર મચી છે. જેમાં ચાર વ્યક્તિ દ્વારા આપઘાત કરવામાં આવતા આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.તપાસમાં ભાભરના બુરેઠા ગામની મહિલા સહિત 2 બાળકોએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.

જેમાં સાંતલપુરના મસાલી ગામના પુરૂષે કેનાલમાં ઝંપલાવ્યુ હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા દિયોદર પોલીસ ઘટનાસ્થળે પોહંચી હતી અને તપાસ હાથ ધરી છે. દરમિયાન સ્થાનિક તરવૈયાની મદદથી 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બીજીતરફ મૃતદેહોને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં અરેરાટીભરી ઘટના : હીરાની ઘંટીમાં દુપટ્ટો ભરાતા ચામડી સાથે વાળ નીકળી ગયા,માથુ અલગ થયાના નામે વીડિયો વાઈરલ

આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી

આ પણ વાંચો:સુરતની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, 8 ડીસીપી તરીકે મહિલા અધિકારી