બનાસકાંઠા,
બનાસકાંઠા થરાદમાં થોડા દિવસ પહેલા લૂંટ વીથ ફાયરિંગ મામલે હજુ સુધી ભેદના ઉકેલાતા લોકોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાયા છે. 22 દિવસ પહેલા ઘટના ઘટી જેને લઇને હજૂ સુધી કોઇ કાર્યાવાહી ન થતા લોકોએ પણ પોલીસની કામગીરી પર રોષ વ્યક્ત કર્યો હતો. છેવટે આરોપીઓની ભાળ મેળવવા પોલીસે લીધો પ્રજાનો સહારો અને બનાસકાંઠા પોલીસે ઇનામ પણ જાહેર કર્યું. અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓ ડિટેકટ થયા નથી.આ થી પોલીસે લોકોનો સહારો લીધો હતો.