Not Set/ બનાસકાંઠા/ અસ્થિર મગજના યુવાને જાણો કોની, અને કેટલી હત્યાઓ કરી..?

લાખણી તાલુકાના ભાકડીયાલ ગામમાં અસ્થિર મગજના યુવાન પતિએ કુહાડી વડે તેના જ પરિવાર જનોની હત્યા કરી છે. તેને માતા,પત્ની અને તેના બાળકની હત્યા કરી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાકડીયાલ ગામમાં એકસાથે પરિવારના 3 સભ્યોની હત્યાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો. […]

Top Stories Gujarat Others
હત્યા બનાસકાંઠા/ અસ્થિર મગજના યુવાને જાણો કોની, અને કેટલી હત્યાઓ કરી..?

લાખણી તાલુકાના ભાકડીયાલ ગામમાં અસ્થિર મગજના યુવાન પતિએ કુહાડી વડે તેના જ પરિવાર જનોની હત્યા કરી છે. તેને માતા,પત્ની અને તેના બાળકની હત્યા કરી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાકડીયાલ ગામમાં એકસાથે પરિવારના 3 સભ્યોની હત્યાથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગયો હતો. યુવાન અસ્થિર મગજનો હોવાથી કોઇ કારણસર કુહાડી વડે પોતાની માતા, પત્ની અને તેની બાળકની હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યા બાદ યુવાન કુહાડી લઇ ગામમાં આમ-તેમ ફરતો હતો. હત્યારાના હાથમાં કુહાડી જોઇ આસપાસના લોકો દહેશતમાં આવી ગયા હતા. અને તેનાથી દૂર ભાગતા હતા. ગ્રામજનોએ હત્યાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસ હત્યારા પતિની ધરપકડ કરી લીધી હતી. જ્યારે તમામ મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.