India Slams China/ આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવા પર રાજનીતિ ન કરવી જોઈએઃ વિદેશ મંત્રી

થોડા દિવસો પહેલા ચીને મુંબઈ 26/11 હુમલાના દોષિત અને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને બ્લેકલિસ્ટ કરવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી હતી

Top Stories India
6 40 આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવા પર રાજનીતિ ન કરવી જોઈએઃ વિદેશ મંત્રી

થોડા દિવસો પહેલા ચીને મુંબઈ 26/11 હુમલાના દોષિત અને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદી સાજિદ મીરને બ્લેકલિસ્ટ કરવાના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પર રોક લગાવી દીધી હતી. ચીનના આ પગલાના થોડા દિવસો બાદ ભારતે ફરી એકવાર યુએનમાં આતંકવાદીઓ પર પ્રતિબંધ લગાવવા માટે ન્યાયી કાર્યવાહીની માંગનો પુનરોચ્ચાર કર્યો છે. નોંધનીય છે કે સાજિદ મીર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક છે અને 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ અને મુખ્ય સંચાલક છે. ચીને યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં તેનું લિસ્ટિંગ બ્લોક કરી દીધું છે.

ગયા મહિને, ચીને યુએસ અને ભારતના જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહરના ભાઈ અબ્દુલ રઉફ અઝહરને બ્લેકલિસ્ટ કરવાના પ્રસ્તાવને અવરોધિત કર્યો હતો. જૂનમાં, ચીને પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સૂચિબદ્ધ કરવાના અન્ય પ્રસ્તાવને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

વિદેશ મંત્રી એસ જયશંકરે આજે યુએનએસસીને આ ઘટનાક્રમ તરફ ઈશારો કરતા કહ્યું કે, આવા આતંકવાદીઓને કોઈપણ પ્રકારનું રાજકીય રક્ષણ મળવું જોઈએ નહીં. ઈશારામાં ચીનની કાર્યવાહી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિશ્વના આવા ખતરનાક આતંકવાદીઓ પર પ્રતિબંધ મુકવામાં યુએનએસસીમાં વિલંબથી ભવિષ્યમાં અનેક દેશોની શાંતિ જોખમાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે લશ્કર-એ-તૈયબાના વડા અને 26/11ના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના સાળા અને યુએસ-નિયુક્ત આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને પણ બેઇજિંગ દ્વારા આ મહિનામાં યુએનની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાના પ્રસ્તાવની છેલ્લી ઘડીએ અવરોધિત કરવામાં આવ્યા હતા. ચીને એક અન્ય આતંકવાદી સાજિદ મીર 2006 થી 2001 દરમિયાન લશ્કરના બાહ્ય આતંકવાદી ઓપરેશનનો હવાલો સંભાળતો હતો. એપ્રિલ 2011માં, યુનાઈટેડ સ્ટેટ્સે 2008ના મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે તેને સંયુક્ત રાષ્ટ્રની બ્લેકલિસ્ટમાં સામેલ કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.