ભરૂચ
ભરૂચમાં ગેસગળતર દરમ્યાન બે કામદોરાના મોત થયા હોવાની ઘટના બની હતી. જ્યારે અન્ય 3 લોકોને ઝેરી ગેસની અસર થઇ હતી. અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી ખાતે ટેક્નો ઇન્ટરમીડીયેટ નામની કંપની આવેલી છે.
આ કંપીમાં ગેસગળતર થયું હતું. ગેસ ગળતર થતાં 5 લોકોને અસર થઇ હતી. જેમાંથી 2 લોકોને ઝેરી ગેસની અસર વધુ થતાં મોત નિપજ્યા હતા. ઘટનાની ઝાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.