Bhavnagar News/ ભાવનગર: મહુવા ST વર્કશોપમાં ગમખ્વાર દુર્ઘટના, વર્કરનું મોત

ભાવનગર મહુવા એસટી વર્કશોપ (Mahua ST Workshop) માં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં કામ કરતાં એસટી વર્કર (ST Worker) નું અકાળે મોત થયું છે.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગર મહુવા એસટી વર્કશોપ (Mahua ST Workshop) માં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં કામ કરતાં એસટી વર્કર (ST Worker) નું અકાળે મોત થયું છે. એસટીની બસમાં લગાવવામાં આવેલો હાઇડ્રોલિક જેક (Hydraulic Jaque) છટકી જતાં વર્કરનું મોત થયું છે. રૂટ પરથી આવેલી બસ વર્કશોપ (Workshop) માં રિપેરિંગ (Repairing) માટે આવી હતી.

વર્કર બસને જેક લગાવીને નીચેના ભાગે કામ કરતો હતો. અચાનક હાઇડ્રોલિક જેક છટકી જતાં વર્કર બસની નીચે દબાયો હતો. બસ નીચે દબાઈ જવાના કારણે 30 વર્ષીય વર્કર નરેશ સોલંકીને (Naresh Solanki) તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ વર્કરને મૃત જાહેર કર્યો હતો.

હવે આ હાઇડ્રોલિક જેક લગાવવા અંગે વર્કરે પોતે બેદરકારી દાખવી હતી કે હાઇડ્રોલિક જેકમાં ખામી હતી તેના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે વર્કરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ પછી તે તેના સગાસંબંધીઓને સોંપવામાં આવશે.

પોલીસ આ સિવાય ઘટનાસ્થળે કોઈ બીજી વ્યક્તિની હાજરી હતી કે નહીં તેની પણ તપાસ આદરી છે. આ માટે તેણે વર્કશોપમાં હાજર બીજા લોકોની પૂછપરછ કરી હતી. તેની સાથે પોલીસે એસટીની વર્કશોપના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા હતા, જેથી આ ઘટનાના દરેક પાસાની ચકાસણી કરી શકાય તથા તેની પાછળની હકીકતને શોધી શકાય.

પોલીસે આ ઘટનાની નોંધ અકસ્માત મૃત્યુ ગણીને કરી છે અને વર્કશોપના બીજા કામદારોના નિવેદનો પણ લીધા છે. આ ઉપરાંત વર્કશોપ કામદારોના સલામતીના માપદંડોનું પાલન કરે છે કે નહીં તે પણ જોયું હતું. તેની સાથે વર્કશોપના મેનેજરના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે વર્કશોપમાં આ પ્રકારની દુર્ઘટના બને નહીં તે માટે ત્યાં કામ કરતાં કામદારો બરોબર તાલીમ લીધેલા છે કે નહીં તેની પણ ચકાસણી કરી છે.

નરેશ સોલંકીના મોતને લઈને વર્કરોનું કહેવું છે કે એસટી વિભાગ તેના કુટુંબ માટે તાકીદના ધોરણે સહાય જાહેર કરે તે જરૂરી છે. આ રીતે તેના આકસ્મિક મોતના કારણે તેના કુટુંબને યોગ્ય વળતર આપવામાં આવે તેની માંગ કરી છે. તેની સાથે-સાથે તેઓએ માંગ કરી છે કે એસટીની વર્કશોપમાં કામ કરતાં કર્મચારીઓને વીમાકવચ પૂરુ પાડવામાં આવે, જેથી આવી દુર્ઘટના વખતે મૃત્યુ થાય તો તેના કુટુંબને નાણાકીય તકલીફ ન પડે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગર અકસ્માતના મૃતકોને રૂ. ૪ લાખની સહાય જાહેર કરતા સીએમ

આ પણ વાંચો: અમરેલી-ભાવનગર સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત

આ પણ વાંચો: ધોલેરા-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત : સ્કોર્પિયો-કિયા કાર વચ્ચે ટક્કર થતા મહિલા સહિત 4નાં મોત