વિવાદ/ પરેશ રાવલ પર આવી પડી મોટી મુસીબત, બંગાળીઓ પર ટિપ્પણી કરવી પડી ભારે

પરેશ રાવલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉપરાંત, પોલીસે પરેશને પૂછપરછ માટે 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યા સુધીમાં કોલકાતાના તલતલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે.

Trending Entertainment
પરેશ રાવલ

બોલિવૂડ એક્ટર અને બીજેપી નેતા પરેશ રાવલ મુશ્કેલીમાં છે. તાજેતરમાં, અભિનેતાએ બંગાળીઓ પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમની મુશ્કેલી વધી રહી છે. અહેવાલો અનુસાર, લેફ્ટના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. નેતાએ અભિનેતા પર ગુજરાતમાં ભાજપની ચૂંટણી રેલી દરમિયાન બંગાળીઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પરેશ રાવલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉપરાંત, પોલીસે પરેશને પૂછપરછ માટે 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યા સુધીમાં કોલકાતાના તલતલા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, પોલીસે અભિનેતા પર CrPCની કલમ 41A હેઠળ નોટિસ મોકલી છે.

જણાવી દઈએ કે પરેશ રાવલે ગુજરાતના વલસાડમાં રેલીને સંબોધિત કરી હતી. તે દરમિયાન તેમણે મોંઘા ગેસ સિલિન્ડર વિશે વાત કરી. આ સાથે મોંઘા સિલિન્ડરને લઈને સ્પષ્ટતા આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ગેસ સિલિન્ડર મોંઘો છે પરંતુ તે સસ્તો થશે. લોકોને રોજગાર પણ મળશે, પરંતુ શું થશે જ્યારે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ તમારી આસપાસ રહેવા લાગશે. જેમ દિલ્હીમાં થઈ રહ્યું છે. ત્યારે તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો? આ ભાષણ બાદ પરેશ રાવલની ઘણી ટીકા થઈ રહી છે. આ પછી પરેશે માફી પણ માંગી છે અને કહ્યું છે કે આ નિવેદન ‘બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ’ના સંદર્ભમાં હતું.

આ પણ વાંચો:શું હિના ખાનને પ્રેમમાં મળ્યો દગો, મોડી રાતે શેર કરેલી પોસ્ટથી ઈન્ટરનેટ પર મચ્યો હંગામો, ચાહકો થયા પરેશાન

આ પણ વાંચો: કિંગ ખાનનો પુત્ર આર્યન બોલીવુડમા એન્ટ્રી કરવા તૈયાર

આ પણ વાંચો: જાવેદ અખ્તરના નિવેદનથી વિવાદ, કહ્યું – મહિલાઓને આપો એકથી વધુ પતિ રાખવાનો અધિકાર