@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સમગ્ર વિશ્વમાં આજનાં સમયે કોરોના મહામારીનો કાળ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે લડત આપી રહ્યું છે. આ વચ્ચે ભારતનાં ગુજરાત રાજ્યમાં કોરોનાની સાથે વાવાઝોડાએ અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો કહેર વરસાવ્યો હતો.
પોલીસને સફળતા: રીઢા વાહનચોરને ઝડપી પાડતી રાજકોટ પોલીસ, અનેક ચોરીના ભેદ ઉકેલાયા
આ વાવાઝોડાનાં કારણે માણસોનાં ઘરો વેરવિખેર થઇ ગયા છે. લોકોનાં ઘર અને રહેણાંક વિસ્તારોમાં પણ આ વખતે વાવાઝોડાએ રહેવા માટેનાં ઘરોને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે માત્ર માણસો જ નહી પણ પશુ પક્ષીઓને પણ નુકસાન થયુ છે. ખાસ કરીને આ વાવાઝોડામાં પક્ષીઓમાં ચકલીઓનાં માળા વેરવિખેર થઈ ગયા છે. ત્યારે ચકલીઓ માટે રહેવાલાયક અને લાકડાનાં મજબૂત ઘર ધાંગધ્રાનાં એક સામાજિક અને પક્ષીપ્રેમી યુવક દ્વારા ચકલીઘર લાંબા સમયથી બનાવામાં આવ્યુ છે. તેઓ આ ચકલીઘરનું વિતરણ કરતા પણ જોવા મળી રહ્યા છે. ધાંગધ્રા તાલુકાનાં સરવાળ ગામ પાસે ભાકારી મેલડી માતાનાં મંદિરે ચાર ગામનાં સીમાડાનો વિસ્તાર આવેલો છે ત્યાં અનેક પક્ષીઓ આવે છે.
આવેદનપત્ર: વડોદરામાં વાલીઓએ ફી મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપ્યુ
ખાસ કરીને ચકલીઓ ત્યાં દેખાઈ આવતી હોય છે. ત્યારે તેઓને રહેવા માટે લાકડાનાં મજબૂત ઘર ત્યાં લગાવવામાં આવેલા સાથે માળાઓને પણ બાંધવામાં આવ્યા હતા. તેઓ ચકલી માટે 50 હજાર માળાઓ લગાવવાનું પ્રેરિત કાર્ય કરી રહ્યા હોવાથી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેઓને શંભુભાઈ પક્ષી પ્રેમી તરીકે પણ ઓળખવામાં આવી રહ્યા છે. આ પક્ષી પ્રેમી શંભુભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે, લુપ્ત થતી અનેક પક્ષીઓની પ્રજાતિઓનું રક્ષણ કરવું તે આપણી નૈતિક ફરજ છે.