2જી ઓકેટોબર આમતો તારીક બોલતા જ બાપુની તસ્વીર માનસપટ છવાઇ જાય છે. અને કેમ ન છવાઇ મહાત્મા તો મહાત્મા જ છે. પરંતુ બાપુ જેવા જ બીજા રાજપુરુષ લાલ બહાદુર શાસ્ત્રીને પણ આ દિવસે યાદ કરવા જ પડે. ભારતનાં પૂર્વ વડાપ્રધાન હતા માટે તેમને યાદકરવા એક રાજકીય ધર્મ છે. પરંતુ વામન કદનાં શાસ્ત્રીજી પોતાનાં વિરાટ વ્યક્તિત્વ માટે પણ યાદ આવે જ આવે.
ભારતને જેમણે “જ્ય જવાન જય કિશાન” સૂત્ર આપ્યુંં તેવા, શાસ્ત્રીજીનો એક કિસ્સો તેમની વિરાટતાને વ્યક્ત કરવા ટાંકવામાં આવે તે, આ કિસ્સો વધુ યથાર્થ કહી શકાય કે, જ્યારે ભારતનાં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પાકિસ્તાન સાથેનાં યુદ્વ પછી, તાસ્કન કરાર માટે જઇ રહ્યા હતા ત્યારે એક પત્રકાર દ્વારા શાસ્ત્રીજીને પૂછવામાં આવેલ સવાલ અને શાસ્ત્રીજી દ્વારા તે સવાલના જવાબ પરથી તેમનું વિરાટ વ્યક્તિત્વ ઉભરી અવે છે.
પત્રકાર દ્વારા તે સમયે શાસ્ત્રીજીને પૂછવામાં આવ્યું કે પડછંદ કાયાનાં પાકિસ્તાનનાં જનરલ અયુબખાનને તમે મળશો,તે ઘટનાને તમે કેવી રીતે જોવો છે. પત્રકાર દ્વારાએ શાસ્ત્રીજીને શારીરક બાબતે ટકોર કરતા આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, કારણ કે શાસ્ત્રીજીની ઉંચાઇ ખુબ નીચી હતી. આ પ્રશ્નનો જવાબ આપતા શાસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું કે, જ્યારે હું તેને(અયુબખાનને) મળીશ ત્યારે હું માથું ઉંચુ રાખીને વાત કરી અને તે માથું ઝુકાવીને વાત કરશે.
આવુ વિરાટ વ્યક્તિત્વ હતું ભારતનાં આ મુઠ્ઠીઉંચેરા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીનું. આજે તામના જન્મ દિવસે શાસ્ત્રીજીને સત સત પ્રણામ.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN