કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદક કંપની બાયોલોજિકલ-ઇ સાથે એન્ટી કોવિડ -19 એન્ટિ રસીના 300 કરોડ ડોઝનું ઉત્પાદન અને સંગ્રહ કરવા માટેના કરારને અંતિમ રૂપ આપ્યું છે. આ માટે મંત્રાલય 1,500 કરોડની એડવાન્સ ચુકવણી કરી રહ્યું છે. મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ રસી ડોઝનું ઉત્પાદન અને સંગ્રહ આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે કરવામાં આવશે. બાયોલોજિકલ-ઇ ની કોવિડ -19 એન્ટિ રસી પ્રથમ તબક્કો અને બીજા તબક્કા ના પરીક્ષણોમાં સારા પરિણામો બતાવ્યા પછી હાલમાં ત્રીજા તબક્કોની ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે.
મંત્રાલયનું કહેવું છે કે વેક્સીનનું નિર્માણ અને સ્ટોરેજ બાયોલોજિકલ-ઇના માધ્યમથી ઓગસ્ટથી ડિસેમ્બર 2021 સુધી કરી દેવામાં આવશે. માર્ચ-એપ્રિલ મહિનામાં જ્યારે ભારત કોવિડની બીજી લહેરના પ્રકોપ સામે સંઘર્ષ કરી રહ્યું હતું તે દરમિયાન રસીકરણની નીતિને લઈ કેન્દ્ર સરકારને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો, જેને ધ્યાને રાખી સરકારે આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારને આ જ કારણથી પોતાના વેક્સીન મૈત્રી કાર્યક્રમ હેઠળ વિદેશ મોકલવામાં આવી રહેલી વેક્સીનને રોકવી પડી હતી જેથી ભારતમાં વેક્સીનની અછતને દૂર કરી શકાય.
કેન્દ્ર સરકારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે,બાયોલોજિકલ-ઇની વેક્સિન હાલ ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલમાંથી પસાર થઇ રહીં છે, આ પહેલા ફેઝ-1 અને 2માં વેક્સિનના સારા પરિણામ જોવા મળ્યાં હતા. વેક્સિન આગામી થોડા મહિનમાં ઉપલબ્ધ થશે.
કેન્દ્ર સરકાર પણ દેશમાં વેક્સિનની અછત ના સર્જાય એના માટે ઝડપથી આ વેક્સિન ઉત્પાદન કરતી કંપનીને સપોર્ટ કરી રહી છે. આ તમામ સરકારનાં કાર્યોનો મુખ્ય ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે દેશમાં કોરોના મહામારીને પરાસ્ત કરવા માટે ઝડપથી લોકોનું વેક્સિનેશન હાથ ધરાય. આ તમામ વેક્સિનના ડોઝ અંગે સંશોધન કરવા અને અન્ય ઉત્પાદનમાં સહાયતા કરવા માટે સરકારે આ કંપનીને ક્લિનિકલ ટ્રાયલ માટે 100 કરોડ રૂપિયાની સહાયતા કરી છે.
ઉલ્લેખનયી છે કે ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાની કોલિશીલ્ડ અત્યારે દેશમાં ઉપલબ્ધ છે. જ્યારે રશિયાની સ્પૂતનિક V પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. સરકારનો ટાર્ગેટ છે કે ઓગસ્ટ સુધીમાં દરરોજ એક કરોડ લોકોને રસી લગાવામાં આવે. એટલું જ નહીં કેટલીક વિદેશી રસી ઉત્પાદક જેવા કે ફાઇઝર અને મોડર્ના સાથે પણ વાતચીત ચાલી રહીં છે.