દાહોદ ખાતે ગાંધી જયંતિના ઉપક્રમે સ્વચ્છ ભારત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાજપ નાં ઘણા અગ્રણીઓ ઉપસ્થિત હતા. જેમાં દાહોદ જિલ્લાના સાંસદ, અમિત ઠાકર, પ્રભારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, તેમજ ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા.
ગરબાડા સ્વચ્છ ભારત રેલીમાં મોત
આ રેલીમાં રેલીમાં ભાજપના અગ્રણી અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ અજિત રાઠોડને ચાલતાં ચાલતાં ચક્કર આવ્યા હતા અને પડી ગયાં હતા. આથી તેઓને તાત્કાલિક દાહોદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટર દ્વારા તેમણે એટેક આવ્યો હોવાનું જણાવ્યુ હતું. અને મૃત ઘોષિત કર્યા હતા. તેઓનું નિધન રેલીમાં થયું હોવાના કારણે પી.એમ માટે દાહોદ સિવિલમાં લેવાયા હતા. દાહોદ સિવિલ ખાતે લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.