બાપુનગર
અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે બાપુનગરની જોય રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. મફત જમવાનું પાર્સલ માંગતા બે શખ્સો દ્વારા માથાકૂટ થઇ હતી.
ત્યારે માલિકને પણ બેઝ બોલના બેટથી માર મારવામાં આવ્યો. તેના લીધે માલિકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. હોટલના માલિકને સંજય શેખડાએ આ અસામાજિક શખ્સો વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.