યુકેની અદાલતે 26 જુલાઈ 2021 ના રોજ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને નાદાર જાહેર કર્યા છે. હવે આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કન્સોર્ટિયમને વિજય માલ્યાને અપાયેલી લોન વસૂલ કરવામાં મદદ કરશે. માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકાય છે.અદાલતના આ નિર્ણયથી હવે કિંગફિશર કંપની પર બાકી લેણાંની વસૂલાત માટે વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવાનો માર્ગ ખુલ્યો છે. વિજય માલ્યાએ તેની હાલની નાબૂદ કિંગફિશર એરલાઇન્સ માટે ભારતીય બેંકો પાસેથી નવ હજાર કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હતી અને જ્યારે કંપની ડૂબી ત્યારે તે લોન ભરપાઈ કર્યા વિના લંડન ભાગી ગયા હતા.
કોર્ટે નાદાર જાહેર કર્યા
ચીફ ઇન્સોલ્વન્સી એન્ડ કંપનીઝ કોર્ટ (આઈસીસી) ના જજ માઇકલ બ્રિગ્સે વીડિયો કોન્ફરન્સિંગની સુનાવણીમાં કહ્યું કે હું માલ્યાને નાદાર જાહેર કરું છું. ભારતીય બેન્કો વતી કેસ લડતા કાયદા ફર્મ ટી.એલ.ટી. એલ.એલ.પી અને બેરિસ્ટર માર્સિયા શેકરડેમિયને માલ્યાને નાદાર જાહેર કરવાની દલીલ કરી હતી.
ફ્રાન્સમાં 14 કરોડની સંપત્તિ જપ્ત
કેન્દ્રીય એજન્સીઓ સમયાંતરે વિજય માલ્યા સાથે જોડાયેલી સંપત્તિ જપ્ત કરી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફ્રાન્સમાં 14 કરોડની સંપત્તિ જોડી હતી. આ ઉપરાંત ઇડીએ તાજેતરમાં જ વિજય માલ્યાની જપ્ત કરાયેલ સંપત્તિની હરાજી કરી હતી, જ્યાંથી એસબીઆઈની આગેવાની હેઠળની વિવિધ બેન્કોને રૂપિયા 5800 કરોડથી વધુની રકમ મળી છે.