- સિદ્ધપુરમાં સનનગરમાં મહિલાની હત્યા
- રસોઈ બનાવવાની બાબતે ઝઘડો થતાં હત્યા
- દારૂના નશામાં જેઠે છરીના ઘા મારી કરી હત્યા
- જેઠ જેઠાણી મળી નાના ભાઈની વહુનું કાઢ્યું કારસ
- પોલીસ જેઠ-જેઠાણીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
રાજ્યમાં દિનપ્રતિ દિન હત્યાના બનાવ સતત વધી રહ્યા છે. નજીવી બાબતે હત્યા જેવું કરુણ પગલું ભરતા લોકો એકવાર પણ વિચાર કરતા નથી. આવામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં રસોઈ બનાવવાની જેવી નજીવી બાબતે ઝઘડો થતાં એક ભાઈ છરીના ઘા મારી પોતાના ભાઈને પત્નીની હત્યા કરી હતી.
આ મામલે મળતી માહિતી અનુસાર, સિદ્ધપુરમાં સનનગરમાં જેઠ જેઠાણીએ મળી નાના ભાઈની વહુનું કારસ કાઢ્યું છે. આ મામલે નાના ભાઈ તેના મોટા ભાઈ-ભાભી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદીના મોટા ભાઈ-ભાભીએ રીંગણનું શાક બનાવવા અને તેમાં મરચું વધારે હોવાનું કહીને ઘરમાં ઝગડો કર્યો હતો. જે બાદ ગુસ્સે ભરાયેલા જેઠે નાના ભાઈની વહુના પેટના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. આ મામલે પોલીસે જેઠ-જેઠાણીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.