નવસારી,
નવસારી ખેરગામના વડપાડા ગામે આવેલા ગ્રામપંચાયત જર્જરિ હાલતમાં છે. સરપંચ અને ગ્રામપંચાયતના કામ કરતા સ્ટાફને આ જર્જરીત મકાનમાં જીવના જોખમે કામ કરે છે.
ગામના સરપંચ તેમજ આગેવાનો એ આ ગ્રામપંચાયત ના નવા મકાનના બાંધકામ માટે અનેક વાર રજુઆત કરી છે. પંચાયત ઘરને જોતા પંચાયત ઘરમાં સરપંચને બેસવા માટેની પણ જગ્યા નથી. તો ચોમાસા માં તો સરપંચ તેમજ તલાટીની હાલત દયનિય થવા પામી છે. જિલ્લા કલેકટર સહિતના લોકોને પણ આ અંગે જાણ કરી હતી. તેમછતાં હજુ સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.