કેન્દ્રની મોદી સરકારની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપર કેરી અને ચીકુવાળા ખેડૂતોના દ્વારા ધમાચકડી મચાતી નજર આવી રહી છે.
મહારાષ્ટ્રમાં કેરી અને ચીકુ પેદા કરનાર ખેડૂતો મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન હસ્તાંતરણનો વિરોધ કરી રહ્યા છે. જયારે સ્થાનીય નેતાઓ તેમને ટેકો દઈ રહ્યા છે. ફળ ઉત્પાદકોએ બુલેટ પ્રોજેક્ટ માટે પોતાની જમીન હસ્તાંતરણ માટે વિરોધના સ્વર ઉઠી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું છે કે તેઓ વૈકલ્પિક રોજગારની ગેરંટી મળ્યા વગર પોતાની જમીન સરેન્ડર નહિ કરે.
જાપાનના ભંડોળથી પ્રસ્તાવિત 17 અબજ ડોલરનો આ પ્રોજેક્ટ ફળોના ઉત્પાદકોનાં વિરોધના કારણે ડીસેમ્બરમાં સંપૂર્ણ થતા પોતાના લક્ષ્યને ચુકી શકે છે. ખેડૂતોનું આ વિરોધનું વલણ પરિયોજના માટે મોટો અવરોધ બની શકે છે. મહારાષ્ટ્રમાં આશરે 108 કિલોમીટર લાંબા આ ભાગમાં બુલેટ પ્રોજેક્ટ સામે વિરોધ થવામાં આવે છે, જે સમગ્ર પ્રોજેક્ટનો લગભગ 5 માં ભાગ બરાબર છે. આ પ્રસ્તાવિત બુલેટ પ્રોજેક્ટ દેશનું આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતના સૌથી મોટા કમર્શિયલ શહેરને જોડી શકે છે.
સરકારે આ પ્રોજક્ટ ઓફ લેન્ડ એક્વિઝિશન માટે ખેડૂતો પાસેથી માર્કેટ વેલ્યૂ 25 ટકા વધુ ઓફર કરી છે. ઉપરાંત, રીસેટમેન્ટ માટે 5 લાખ રૂપિયા આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે અથવા તો જમીનની કુલ કિંમતનાં 50 ટકા સુધીની કિંમત આપવાની વાત કરી છે. 5 લાખ રૃપિયા અથવા તો જમીનની અડધી કિંમતથી જે વધુ હશે, તે ખેડૂતને આપવાનો પ્રસ્તાવ કર્યો છે.