ગુજરાત રાજયમાં પડેલા ભારે વરસાદ અને હજુ પણ ભાદરવો ભરપૂર જઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદની સ્થિતિ અંગે જણાવ્યુ હતું કે, ભગવાનની દયાથી આ વર્ષે રાજયમાં વરસાદ સારો છે, હજુ રાજયમાં લીલા દુકાળના કોઈ જ એંધાણ નથી. આ વર્ષે રાજયમાં 125 ટકાથી વધુ વરસાદ થયો છે. ઘણા જીલ્લામાં પાકને વરસાદ ને કારણે થોડું ઘણું નુકશાન થયું છે.
આ ઉપરાંત વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના મહેસૂલ અને નાણાં વિભાગમાં હાલમાં ફાઈલોના ખડકલા જોવા મળી રહ્યા છે. તે અંગે વહેલી તકે કાર્યવાહી કરવા અંગે તેમણે અધિકારી સામે લાલ આંખ કરી હતી અને કહ્યું હતું કે, આ પેન્ડિંગ ફાઇલ રહેતા લોકોના કામ અટવાઈ જાય છે. અને કાર્યાલયમાં ફાઇલ નો ખડકલો જોવા મળે છે.
આ પણ વાંચો :મંદી એક હવા છે, મંદીથી ઉધોગો બંધ થયા હોય તેવા કોઇ આંકડા નથી : મુખ્યમંત્રી રૂપાણી
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.