છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં 22,252 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા સાત લાખને વટાવી ગઈ છે. કોરોનાવાયરસ સંક્રમણનાં કુલ 7,19,665 પુષ્ટિ થયેલા કેસો સાથે ભારત વિશ્વભરમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં 467 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, મૃત્યુ પામેલા કુલ લોકોનો આંકડો 20,160 પર પહોંચી ગયો છે. દેશભરમાં કુલ 7,19,665 પોઝિટિવ કેસમાંથી 2,79,717 સક્રિય કેસ છે.
અત્યાર સુધીમાં 1,02,11,092 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, જેમાં 6 જુલાઈનાં રોજ કુલ 2,41,430 સેમ્પલ ટેસ્ટિંગમાં લેવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં પોઝિટિવિટી દર 9.21 છે. ભારતમાં કોરોનાવાયરસથી સંક્રમિત કેસ કુલ 159 દિવસમાં 7 લાખનાં આંકડા પર પહોંચ્યો છે.
India’s COVID19 case tally crosses 7 lakh mark with 22,252 new cases & 467 deaths in the last 24 hours. Total positive cases stand at 7,19,665 including 2,59,557 active cases, 4,39,948 cured/discharged/migrated 20,160 deaths: Ministry of Health pic.twitter.com/IDI8t4VhnH
— ANI (@ANI) July 7, 2020