દેશમાં કોરોના વાયરસનાં નવા કેસો સતત વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં તાજેતરનાં આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 28,701 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 500 લોકોનાં મોત પણ થયા છે.
ભારતમાં હાલમાં કોરોના વાયરસનાં કેસ 8,78,254 પર પહોંચી ગયા છે. તેમાંથી 3,01,609 કેસ સક્રિય છે. જ્યારે 5,53,471 લોકો ઠીક થયા છે. દેશમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 23,174 લોકોનાં મોત નીપજ્યાં છે.
28,701 new COVID19 cases & 500 deaths reported in India in the last 24 hours. Total positive cases stand at 8,78,254 including 3,01,609 active cases, 5,53,471
cured/discharged/migrated and 23,174 deaths: Ministry of Health pic.twitter.com/wEBpsyXnSs— ANI (@ANI) July 13, 2020