ગેંગ્રીન એટલે શું? ગેંગ્રીનની બીમારીમાં ઈજા થયેલ અંગ ઉપર રૂઝ ના આવતા ત્યાં સડો થાય છે અને તે અંગ કાપવો પડે છે. આવો વિસ્તારથી જાણીએ ક્યારે થાય છે આ બીમારી?
શરીરમાં જ્યારે કોઈ અંગ ઉફર ગંભીર રીતે ઈજા થઈ હોય, ત્યારે ઘણી વખત તે જગ્યાએ રૂઝ ન આવતા, તે જગ્યાએ નવા સેલ બનવાના બંધ થઈ જાય છે. જેના કારણે તે ભાગમાં ધીમે ધીમે સડો થવા લાગે છે. અને ઘણાં ઉપચાર કરવા છતાં તે જગ્યાએ રૂઝ નથી આવતી.
આ બીમારીમાં લોહીનો પ્રવાહ આ ભાગમાં ન પહોંચતા જૂના સેલ પણ નાશ પામવા લાગે છે. ખાસ કરીને ડાયાબિટિસના દર્દીઓને આ બીમારીનું જોખમ વધારે રહે છે. કોઈ જગ્યાએ ઈજા થઈ ગયા પછી ત્યાં ઝડપથી રૂઝ નથી આવતી.
આ એક એવો સડો છે જે અટકતો જ નથી અને શરીરમાં ફેલાતો જ જાય છે.
ગેંગ્રીન એક એવી બીમારી છે જેમાં ઘણાં ઉપચાર કરવા છતાં સારું ન થતા વ્યક્તિના શરીર પરથી તે અંગને અલગ કરી દેવામાં આવે છે. પરંતુ ઘણી સમસ્યાનું સમાધાન આયુર્વેદમાં છૂપાયેલું છે. જેમાં આ ગેંગ્રીનને પણ જડમૂળમાંથી ઠીક કરવાનો ઉપચાર છૂપાયેલો છે.
કેવી રીતે કરશો ઉપચાર? સૌ પહેલા ગલગોટાનાં ફૂલની પાખડીઓને છૂટી કરી નાખવી. તેમાં હળદર અને ગૌમૂત્રનાખીને પ્રમાણસર ઉમેરી ચટણી બનાવવી. વ્યક્તિને ઈજા કેટલી થઈ છે તેના આધારે આ ચટણી બનાવવી. નાની ઈજા હોય તો એક ફૂલની ચટણી પૂરતી છે. શરીરની જગ્યાએ ઈજા છે તે જગ્યાએ આ ચટણી લગાવવી. દિવસમાં બે વાર, સવાર- સાંજ આ ચટણી લગાવવી. ચટણી લગાવી તેના પર રૂથી પાટો બાંધી દેવો. બીજીવાર રૂ નિકાળો તો ગૌમૂત્રથી તે ઈજાને સાફ કરવી. આ ચટણીને તાજી બનાવી તાજી લગાવવી. ફૂલ તાજા મળે તો તે વાપરવા, નહીંતર સુકવેલા ફૂલ પણ ચાલે. એક સપ્તાહની અંદર તમને ફરક નજરે પડશે. (સૌ.ડેઈલીન્યૂઝગુરુ)