Not Set/ તમામ રાજ્યોનાં CM ને ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યુ- પોતાના રાજ્યમાં લોકડાઉનનું સખતપણે પાલન કરાવો

કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. આ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે તમામ રાજ્યોનાં મુખ્ય પ્રધાનને તેમના રાજ્યમાં લોકડાઉનનું સખતપણે પાલન કરવા જણાવ્યું છે. જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત […]

India
114f51db08dd34ee5878b41f718266e5 1 તમામ રાજ્યોનાં CM ને ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યુ- પોતાના રાજ્યમાં લોકડાઉનનું સખતપણે પાલન કરાવો
114f51db08dd34ee5878b41f718266e5 1 તમામ રાજ્યોનાં CM ને ગૃહ મંત્રી અમિત શાહએ કહ્યુ- પોતાના રાજ્યમાં લોકડાઉનનું સખતપણે પાલન કરાવો

કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે. આ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે તમામ રાજ્યોનાં મુખ્ય પ્રધાનને તેમના રાજ્યમાં લોકડાઉનનું સખતપણે પાલન કરવા જણાવ્યું છે. જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તમામ મુખ્યમંત્રીઓને કહેવામાં આવ્યું હતું કે, રાજ્યો તરફથી લોકડાઉનનું ઉલ્લંઘન થવાના અહેવાલો છે, તેથી તમારે તમારા રાજ્યોમાં તેનું સખતપણે પાલન કરવું જોઈએ.

દરમિયાન, ગૃહ મંત્રાલયનાં અહેવાલ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, અન્ય રાજ્યોમાં આવેલા મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલવાની જરૂર નથી. અહેવાલ મુજબ મજૂરોની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકાય છે. આની સાથે, તેના પરિવારની જરૂરિયાતો તેમના ગામમાં પણ પૂરી થઈ શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો મજૂરો પરત ફરે છે તો તેનાથી ગામડાઓમાં ચેપ ફેલાવાનું જોખમ વધશે, જે આજકાલ આ ચેપથી મોટા પ્રમાણમાં અલગ રહ્યું છે.

ગૃહ મંત્રાલયનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેશ આવા સંકટ સાથે ઝઝૂમી રહ્યુ છે, જેમાં કોઈ પણ ક્ષતિ જીવલેણ સાબિત થઈ શકે છે. આ લોકોનાં જીવનની વાત છે. જો વિસ્થાપિત મજૂરોને તેમના ઘરે જવાની મંજૂરી આપવામાં આવે તો સ્પષ્ટપણે ચેપ ફેલાવાનું જોખમ વધશે, જે પરિસ્થિતિને વધુ વણસી શકે છે. જણાવી દઇએ કે, આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અહેવાલ કેન્દ્ર દ્વારા તમામ અરજીઓનાં જવાબમાં દાખલ કરવામાં આવ્યો છે જેમાં મજૂરોની સમસ્યા કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. પરંતુ કેન્દ્રનું કહેવું છે કે અમે તમામ રાજ્ય સરકારો અને એનજીઓ સાથે મળીને વિસ્થાપિત મજૂરોની જરૂરિયાતોને પહોંચી વળવા પ્રયાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.