બુલંદશહેરમાં બે સાધુઓની હત્યા મામલે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર હુમલો કરતી જોવા મળી હતી. પ્રિયંકા ગાંધીએ પોતાનો ગુસ્સો એક ટ્વીટ મારફતે ઉતાર્યો હતો. જેમા તેમણે ઉત્તર પ્રદેશની યોગી સરકારને તેમની જવાબદારી વિશે સમજાવ્યું છે.
બુલંદશહેર જિલ્લાનાં અનુપશહર પોલીસ સ્ટેશન વિસ્તારનાં પરોણા ગામમાં બે સાધુઓની હત્યા પર કોંગ્રેસનાં મહા સચિવ પ્રિયંકા ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક ટ્વીટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે, ‘એપ્રિલનાં પહેલા 15 દિવસમાં ઉત્તરપ્રદેશમાં સો લોકો માર્યા ગયા હતા. પચૌરી પરિવારનાં 5 લોકોનાં મૃતદેહ ત્રણ દિવસ પહેલા એટા માં શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યા હતા. કોઈને ખબર નથી કે તેમનું શું થયું. આજે બુલંદશહેરનાં એક મંદિરમાં સૂતાં બે સાધુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આવા ઘૃણાસ્પદ ગુનાઓની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ સમયે કોઈએ પણ રાજકારણ કરવું જોઈએ નહીં. યોગ્ય તપાસ કર્યા પછી સત્યને રાજ્ય સમક્ષ લાવવું જોઈએ. તે સરકારની જવાબદારી છે.
अप्रैल के पहले 15 दिनों में ही उप्र में सौ लोगों की हत्या हो गई। तीन दिन पहले एटा में पचौरी परिवार के 5 लोगों के शव संदिग्ध परिस्थितियों में पाए गए। कोई नहीं जानता उनके साथ क्या हुआ।
आज बुलंदशहर में एक मंदिर में सो रहे दो साधुओं को बेरहमी से मौत के घाट उतार दिया गया।..
1/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 28, 2020
આ અગાઉ સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે બુલંદશહેરમાં બનેલી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, યુપીનાં બુલંદશહેરમાં મંદિર પરિસરમાં બે સાધુઓની નિર્દય રીતે કરવામાં આવેલી હત્યા ખૂબ નિંદાત્મક અને દુઃખદ છે. આવી હત્યાઓનું રાજકારણ ન કરીને, વ્યક્તિએ તે પાછળનાં હિંસક વલણનાં મૂળ કારણ અથવા ગુનાહિત કારણને ઉંડાણપૂર્વક જોવાની જરૂર છે. આ આધારે, સમયસર યોગ્ય પગલાં લેવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.