પૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવો થવાની ફરિયાદ બાદ રાત્રે 8.45 વાગ્યે તેમને દિલ્હીનાં એઈમ્સનાં કાર્ડિયો-થોરૈસિક (કાર્ડિયાક અને છાતી સંબંધિત) વોર્ડમાં નિરીક્ષણમાં રાખવામાં આવ્યાં છે.મનમોહન સિંહ આઇસીયુમાં છે અને હાર્ટ ડૉક્ટર નીતીશ નાયક તેમને જુએ છે. 87 વર્ષીય પૂર્વ વડા પ્રધાનની 2009 માં એઈમ્સમાં બાયપાસ સર્જરી થઈ હતી. ઘણા નેતાઓએ મનમોહન જલ્દીથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.
મનમોહન સિંહ નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરતા આવ્યા છે. ગયા મહિને તેમણે મોદી સરકારનાં કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (ડી.એ.) રોકવાના નિર્ણયની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કોવિડ-19 વચ્ચે આ કડક પગલું બિનજરૂરી રીતે લેવામાં આવ્યું છે.
Delhi: Former Prime Minister Dr Manmohan Singh has been admitted to All India Institute of Medical Sciences (AIIMS) after complaining about chest pain (File pic) pic.twitter.com/a38ajJDNQP
— ANI (@ANI) May 10, 2020
રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહનાં સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમને શુભકામનાઓ પાઠવી છે. ગેહલોતે ટ્વિટમાં કહ્યું, ‘પૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહને દિલ્હીનાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાની માહિતી પર ઘણી ચિંતા થઇ. હું તેમની ઝડપથી સ્વસ્થતા માટે કામના કરું છું અને તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.